એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પીએફના વ્યાજદરમાં 8.65 ટકાનો ઘટાડો કરી શકે છે. EPFO વ્યાજદરમાં 15થી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી સંભાવના છે. જો આવું થાય તો તેની સીધી અસર EPFOના 8 કરોડ ખાતાધારકો પર પડશે. નોકરિયાત લોકો માટે પીએફ ભવિષ્યને સુરક્ષિત કરવાનું એક અગત્યનું માધ્યમ છે અને વ્યાજદરમાં ઘટાડાની અસર સીધી સમાન્ય જનતા પર પડશે.
PF ખાતાધારકો માટે ખરાબ સમાચાર
પીએફના વ્યાજદરમાં થઈ શકે છે ઘટાડો
તેની સીધી અસર EPFOના 8 કરોડ ખાતાધારકો પર પડશે
એક સમાચાર એજન્સી મુજબ, નાણાં મંત્રાલયને ચિંતા છે કે બેંકો પીએફ પર વધારે વળતર આપે તો આકર્ષક વ્યાજદર ચૂકવવું શક્ય નથી. જેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, નાણા મંત્રાલય સાથે સાત મહિના ચર્ચા કર્યા પછી, 2018-19માં નિવૃત્તિ નિધિ મેનેજરે તેના ગ્રાહકો માટે 8.65 ટકાનો દર નક્કી કર્યો હતો.
બેંક પણ ઈચ્છે છે કે પીએફના વ્યાજદરમાં ઘટાડો થાય
એક રિપોર્ટ મુજબ, બેંકો એવી પણ દલીલ કરે છે કે, પીએફ જેવી નાની બચત યોજનાઓ અને ઈપીએફઓ દ્વારા આપવામાં આવતા ઊંચા વ્યાજદરને કારણે લોકો તેમની પાસે પૈસા જમા કરાવતા નથી, જેના કારણે બેંકોને ફંડ ભેગું કરવામાં સમસ્યા વધશે.