નોકરિયાત લોકોને ટૂંક જ સમયમાં મોટી ખુશખબરી મળવાની છે. પીએફ ખાતાધારકોને આ સપ્તાહમાં 8.5 ટકા વ્યાજના પૈસા મળી શકે છે.
નોકરિયાત લોકો માટે કામના સમાચાર
પીએફ ખાતાધારકોને આ સપ્તાહમાં વ્યાજના પૈસા મળી શકે છે
પીએફના પૈસા જુલાઈના અંત સુધીમાં ટ્રાન્સફર થઈ શકે છે
જો તમે એમ્પલોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના મેમ્બર છો તો તમને ફાયદો થવાનો છે. હકીકતમાં મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો પીએફના પૈસા જુલાઈના અંત સુધીમાં ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે, 31 જુલાઈ સુધી પીએફ એકાઉન્ટ ધારકોના પીએફ ખાતામાં પૈસા આવી જશે.
જાણો શું છે મામલો?
શ્રમ મંત્રાલયની મંજૂરી પછી ઇપીએફઓના ગ્રાહકોના ખાતામાં 8.5 ટકા વ્યાજદરથી પૈસા જમા થશે. નાણાકીય વર્ષ 2019-20માં છેલ્લી વખત, કેવાયસીમાં ગરબડ હોવાને કારણે ઘણાં સબ્સ્ક્રાઇબર્સને લાંબી રાહ જોવી પડી હતી. તમને જણાવી દઈએ કે ઇપીએફઓએ 2020-21 નાણાકીય વર્ષના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા વિના 8.5 ટકા વ્યાજદર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. છેલ્લાં 7 વર્ષમાં આ સૌથી નીચો વ્યાજ દર છે. અગાઉ વર્ષ 2012-13માં સરકારે 8.5 ટકાના દરે વ્યાજ આપ્યું હતું.
SMS દ્વારા બેલેન્સ જાણો
જો તમારો યુએન નંબર ઇપીએફઓમાં રજિસ્ટર્ડ છે, તો તમારા પીએફ બેલેન્સ વિશેની માહિતી મેસેજ દ્વારા મળી જશે. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવું પડશે. તમારી પીએફ માહિતી મેસેજ પર મળી જશે. પીએફ બેલેન્સ માટે તમારું યુએન, બેંક ખાતું, પાનઅને આધાર સાથે લિંક હોવું જરૂરી છે.
મિસ્ડ કોલ દ્વારા જાણો બેલેન્સ
મોબાઈલ નંબર પરથી તમારે 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી પીએફની વિગતો ઇપીએફઓના મેસેજ દ્વારા પ્રાપ્ત થશે. અહીં પણ તમારું યુએએન, પાન અને આધાર લિંક હોવું જરૂરી છે.