જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિએ તેના તમામ ગ્રાહકોને ચેતવણી આપી છે. ચાલો જાણીએ.
પીએફ ખાતાધારકો માટે કામના સમાચાર
આ ભૂલ કરશો તો થશે મોટું નુકસાન
EPFOએ ટ્વિટર પર આપી જાણકારી
EPFOએ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા અંગે ચેતવણી આપી છે. EPFO એ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. કોઈપણ નોકરિયાત વ્યક્તિ માટે તેનું પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. આમાં પૈસા જમા થાય છે, સાથે જ તે PF પર વ્યાજ પણ મળે છે. આવી સ્થિતિમાં તમારે તમારા પીએફના પૈસા વિશે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.
જાણો EPFOએ શું કહ્યું
EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફ્રોડ કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. ઇપીએફઓએ ચેતવણીમાં કહ્યું છે કે, ઇપીએફઓ ક્યારેય ફોન કોલ પર તેના ખાતાધારકો પાસેથી યુએએન નંબર, આધાર નંબર, પાન નંબર અથવા બેંક વિગતો માંગતુંનથી અને ઇપીએફઓ તેના ખાતાધારકોને કોઇ ફોન કોલ કરતું નથી.
નહીં માનો તો મોટું નુકસાન થશે
આવી સ્થિતિમાં EPFOના નામે આવતા ફોન કોલ્સથી હંમેશા સતર્ક રહો. આ સાથે, EPFO એ નકલી વેબસાઇટ્સથી બચવાની પણ સલાહ પણ આપી છે. જો તમે EPFOના એલર્ટને ઈગ્નોર કરશો તો તમારે તેના માટે ભારે કિંમત ચૂકવવી પડશે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
બેંકો પણ એલર્ટ જારી કરે છે
તમને જણાવી દઈએ કે, બેંક તેના ગ્રાહકોની સલામતી માટે દરરોજ ચેતવણી જારી કરે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને એમએમએસ દ્વારા ગ્રાહકોને ચેતવણી મોકલતી રહે છે.
બેંકિંગ ફ્રોડના કેસો સતત વધી રહ્યાં છે
તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડી થઈ છે. આ સમયગાળા દરમિયાન, બેંક છેતરપિંડીના 6800થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા. તેમાંથી 41,167 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. છેલ્લાં 11 નાણાકીય વર્ષોમાં બેંક છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડની છેતરપિંડી થઈ છે.