જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જાણી લો નહીંતર થશે નુકસાન.
પીએફ ખાતાધારકો માટે કામના સમાચાર
EPFOએ જારી કરી જરૂરી સૂચના
પીએફના પૈસાને લઈને આવ્યું મોટું સંકટ
હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિએ તેના તમામ ગ્રાહકોને ચેતવણી આપી છે. EPFOએ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા અંગે ચેતવણી આપી છે. EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.
કોઈપણ નોકરિયાત વ્યક્તિ માટે તેનું પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યની સુરક્ષા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. આમાં પૈસા જમા થાય છે, સાથે જ તે PF પર વ્યાજ પણ મળે છે. આવી સ્થિતિમાં તમારે તમારા પીએફના પૈસાને લઈને એલર્ટ રહેવાની જરૂર છે.
જાણો EPFO એ શું કહ્યું
EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફ્રોડ કોલ સામે સાવધાન રહેવાની સલાહ આપી છે. ઇપીએફઓએ ચેતવણીમાં જણાવ્યું છે કે, ઇપીએફઓ ફોન કોલ્સ પર તેના ખાતાધારકો પાસેથી ક્યારેય યુએએન નંબર, આધાર નંબર, પાન નંબર અથવા બેંક ડિટેલ્સ માંગતુ નથી અને ન તો ઇપીએફઓ તેના ખાતાધારકોને કોઇ ફોન કોલ કરે છે.
EPFOના નામે આવતા ફોન કોલ્સથી હંમેશા સાવધાન રહો. આ સાથે EPFOએ ફેક વેબસાઇટ્સથી બચવાની સલાહ પણ આપી છે. જો તમે EPFOની ચેતવણીની અવગણના કરો છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
બેંકો પણ સમયાંતરે એલર્ટ જારી કરે છે
તમને જણાવી દઈએ કે બેંક તેના ગ્રાહકોની સલામતી માટે દરરોજ ચેતવણી જારી કરે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને એમએમએસ દ્વારા ગ્રાહકોને ચેતવણી મોકલતી રહે છે.
બેંકિંગ ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે
તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડી થઈ છે. આ સમયગાળા દરમિયાન બેંક છેતરપિંડીના 6800થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા. તેમાંથી 41,167 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડની છેતરપિંડી થઈ છે.