EPFOએ કહ્યું છે કે તે ગ્રાહકોના ખાતા સાથે જોડાયેલી ડિટેલ્સ નથી માંગતું. માટે ફોન કે સોશિયલ મીડિયા પર ફ્રોડથી બચો.
EPFOએ જાહેર કરી સુચના
ખાતા ધારકોને ચેતવ્યા
ન કરતા આવી ભૂલો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ પોતાના દરેક સદસ્યો માટે એક સુચના જાહેર કરી છે. આ સુચના ખાતા અને ખાતામાં જમા પૈસાને સુરક્ષીત રાખવા અંગે છે. EPFOએ પોતાના દરેક મેમ્બર્સને કહ્યું છે કે તે સોશિયલ મીડિયા પર ખાતા સાથે જોડાયેલી જાણકારીઓ ન આપે કારણ કે તેનાથી છેતરપિંડીની શક્યતા વધી જાય છે. જો EPFO ખાતાની જાણકારી ફ્રોડના હાથે લાગી તો તે તમારા ખાતામાંથી પૈસા કાઢી શકે છે.
EPFO ફોન કરીને નથી માંગતું આ જાણકારીઓ
EPFOએ જણાવ્યું કે તે પોતાના મેમ્બર્સ પાસે ક્યારેય, પાન, યુએએન, બેન્ક ડિટેલની જાણકારી નથી માંગતા. જો કોઈ ફોન અથવા સોશિયલ મીડિયા પર આવી જાણકારી માંગે તો સાવધાન થઈ જાઓ અને તેને લીક ન કરો. EPFOએ મેમ્બરને કહ્યું કે તે આ પ્રકારના ફ્રોડથી બચે અને ફોન કોલ પર જવાબ ન આપે કે કોઈ મેસેજનો રિપ્લાય પણ ન કરો.
#EPFO never asks its members to share their personal details like Aadhaar, PAN, UAN, Bank Account or OTP over phone or on social media.#EPFO कभी भी अपने सदस्यों से व्यक्तिगत विवरण जैसे आधार, पैन, यूएएन, बैंक खाता या ओटीपी फोन या सोशल मीडिया पर साझा करने के लिए नहीं कहता है। pic.twitter.com/4NhovLQ3xH
EPFOએ મેમ્બર્સને આપી ચેતાવણી
પોતાના દરેક મેમ્બર્સને ચેતાવણી આપતા અને ચેતવતા EPFOએ કહ્યું છે કે તે જમાકર્તાઓ પાસેથી ખાતા સાથે જોડાયેલી જાણકારી નથી માંગતા. માટે ફોન અથવા સોશિયલ મીડિયા પર ફ્રોડથી બચવા માટે પોતાની જાણકારી ક્યારેય શેર ન કરે. EPFOએ એક ટ્વીટમાં લખ્યું છે. ક્યારેય પણ પોતાના સદસ્યો પાસેથી વ્યક્તિગત વિવરણ જેવા કે આધાર, પાન,યુએએન, બેન્ક ખાતા અથવા ઓટીપી ફોન અથવા સોશિયલ મીડિયા પર શેર કરવા માટે નથી કહેવામાં આવતું. EPFOએ આગળ કહ્યું કે તે દરેક સેવા માટે EPFO કર્યારેય પણ વોટ્સએપ, સોશિયલ મીડિયા વગેરેના માધ્યમથી કોઈ રાશિ જમા કરવા માટે નથી કહેતા.
PF ખાતામાં લોકોની કમાણી જમા રહે છે અને ભવિષ્ય અને રિટાયરમેન્ટ માટે લોકો તોમાં પૈસા લગાવે છે. ફ્રોડ કરનાર લોકોને લાગે છે કે તેમની પાસે એક જ ઝટકામાં મોટી કમાણી હાથ લાગી જશે એટલે ફિશિંગ એટેક દ્વારા તે ખાતા પર એટેક કરે છે.
ફિશિંગ ઓનલાઈન ફ્રોડનો મોટો ભાગ છે જેમાં જમાકર્તાને ફ્રોડમાં ફસાવવામાં આવે છે. તેમના પાસેથી ખાતા સાથે જોડાયેસલી જાણકારી મેળવવામાં આવે છે અને અંતમાં ખાતુ સાફ કરી દેવામાં આવે છે.