EPFOએ જણાવ્યું કે જો કોઈ ખાતાધારકનું મોત થઈ જાય છે તો આવી સ્થિતિમાં પણ તેમના ખાતા પર ટીડીએસ કપાશે.
EPFOના પૈસા કર્મચારી માટે ખૂબ જરૂરી
ખાતા સાથે પાન કાર્ડ કરો લિંક
નહીં તો કપાસે વધારે ટેક્સ
દેશભરના તમામ પગારદાર લોકોના પગારનો એક ભાગ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં જમા થાય છે. EPFO ખાતામાં જમા કરાયેલા નાણાં કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જમા મૂડી છે. ઈમર્જન્સીમાં કર્મચારીના મૃત્યુ પર અથવા નિવૃત્તિ પછી ખાતામાં જમા થયેલ તમામ નાણાં કર્મચારી અથવા તેના નોમિનીને આપવામાં આવશે. ખાતાધારકોની સુવિધા માટે સરકાર સમયાંતરે નવી માર્ગદર્શિકા જાહેરા કરતી રહે છે.
EPFOની નવી ગાઈડલાઈન મુજબ જે લોકોની PFમાં જમા રકમ 2.50 લાખ રૂપિયાથી વધુ છે તો તેમણે આ રકમ પર TDS ચૂકવવો પડશે. જે ખાતાધારકોએ તેમના પીએફ એકાઉન્ટને પાન કાર્ડ સાથે લિંક કર્યું છે તેમને માત્ર 10 ટકા ટીડીએસ ચૂકવવો પડશે. બીજી તરફ જે ખાતાધારકોએ તેમના ખાતાને PAN સાથે લિંક કર્યું નથી તો આવી સ્થિતિમાં તમારે 20 ટકા સુધી TDS ચૂકવવો પડશે.
EPFOએ જણાવી જરૂરી વાત
EPFOએ કહ્યું છે કે જેઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ એક વર્ષમાં PFમાં 2.5 લાખ રૂપિયા જમા કરાવે છે અને સરકારી કર્મચારીઓના ખાતામાં 5 લાખથી વધુ જમા થાય છે. જો ખાતામાં ટ્રાન્સફર ન થાય તો TDS ચોક્કસપણે કપાય છે. જે વ્યક્તિનું PF ખાતું PAN સાથે લિંક છે તેણે માત્ર 10 ટકા TDS ચૂકવવો પડશે. બીજી તરફ PAN લિંક ન કરાવવાના કિસ્સામાં 20 ટકા અને NRIએ 30 ટકા સુધી TDS ચૂકવવો પડશે.
પીએફ ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં
એમ્પ્લોઈઝ ફંડ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય છે. તો આવી સ્થિતિમાં પણ તેના ખાતામાંથી ટીડીએસ કાપવામાં આવશે. આ સાથે આ ટીડીએસ ભારતીય કર્મચારીઓ તેમજ આંતરરાષ્ટ્રીય કર્મચારીઓના ખાતામાંથી પણ કાપવામાં આવશે. જો તમે PF એકાઉન્ટ ધારકને PAN કાર્ડ સાથે લિંક કરવા માંગો છો. તો આ સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરો.
આ રીતે PF એકાઉન્ટને PAN સાથે લિંક કરો
PF એકાઉન્ટને PAN સાથે લિંક કરવા માટે સૌથી પહેલા તમે EPFO UAN મેમ્બર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો.
મેઈન મેનુમાં અહીં ક્લિક કરો.
પછી KYC પર ક્લિક કરો.
અહીં PAN કાર્ડ પસંદ કરો અને PAN નંબર દાખલ કરો.
આ પછી તમારું પીએફ એકાઉન્ટ પાન કાર્ડ સાથે લિંક થઈ જશે.