કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ખાતાધારકોના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે.
નોકરી છોડ્યા બાદ પણ કોવિડ એડવાન્સ સર્વિસનો લાભ
PF અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિન્ક કરવું છે જરૂરી
જો આ પ્રક્રિયા નહીં કરો તો તમારું જ થશે નુકશાન
નોકરી છોડ્યા બાદ પણ કોવિડ એડવાન્સ સર્વિસનો લાભ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ખાતાધારકોના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે નોકરી છોડ્યા બાદ પણ કોવિડ એડવાન્સ સર્વિસનો ફાયદો ઉઠાવી શકાશે. આ નિયમ અનુસાર, જો કોઈનીં નોકરી છૂટી ગઈ અને તે ધારક બીજી કોઈ કંપનીમાં જો ડાઈ જાય છે તો PF ફંડમાં રહેલ અમુક રકમને કોવિડ એડવાંન્સ સર્વિસ રૂપે નિકાળી શકાય છે. એડવાન્સ હોવાને કારણે કર્મચારીને PF ના ખાતામાં ફરી નાખવાની જરૂર નથી. આ નિયમ હેઠળ જમા થયેલ રકમના 75 ટકા પૈસા ઉપાડી શકશો.
આ એડવાન્સ લેવા માટે ખાતાધારકે EPFOની વેબસાઇટ અથવા પોતાના ફોન દ્વારા યુનિફાઇડ પોર્ટ પર લૉગ ઇન કરવાનું રહેશે. ભલે તમે અગાઉ હેલ્થ માટે કે પછી બીજા કોઈ કામ માટે PF ની રકમ લીધી હોય, તો પણ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો. સાથે જ આ નિયમ અનુસાર તમારી કોઈ પણ એડવાન્સ રકમ પર ઇન્કમ ટેક્સ લાગુ નહીં પડે. જો તમે નોકરિયાત છો તો તમારે EPFO સાથે આધારકાર્ડ લિંક કરવુ પડશે નહીતર તમારુ PF અટકી શકે છે.
PF અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિન્ક કરવું છે જરૂરી
EPFOએ નવી ગાઇડલાઇન્સ આપતા કહ્યું કે, PF અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિન્ક કરવું છે જરૂરી છે. જેની જવાબદારી EMPLOYER ની રહેશે. તેમણે પોતાના કર્મચારીઓને આ વાતની સૂચના આપે અને કર્મચારીઓનું આધારકાર્ડ PF સાથે વેરીફાય કરાવે. સામાજીક સુરક્ષા સંહિતા 2020ની ધારા 142 લાગૂ થવાની સાથે ECRને માત્ર તે સદસ્યોને જ અનુમતિ આપવામાં આવશે જેના અકાઉન્ટ સાથે આધાર લિંક છે. 1 જૂન 2021થી UAN નંબર સાથે આધાર લિંક નહી હોય તો તમારા ખાતામાં રકમ જમા નહી થાય.
જો આ પ્રક્રિયા નહીં કરો તો તમારું જ થશે નુકશાન
આ નિયમ આવ્યા બાદ કોઇ પણ ગ્રાહક જો આધાર લિંક નહી કરે તો તેના ખાતામાં PFના પૈસા જમા નહી થાય. જો તમે પણ તમારા PF ખાતા સાથે આધાર લિંક નથી કર્યુ તો હાલ જ કરી દો નહીતર કંપની તરફથી આવતુ યોગદાન અટકી જશે. EPFOએ Social Security code 2020ના સેક્શન 142માં બદલાવ કર્યો છે જેનાથી ECR ફાઇલીંગ પ્રોટોકોલ બદલાઇ ગયો છે અને આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપવામાં આવી છે. જો તમે આ કામ નહીં કરો તો EDLI સ્કીમ હેઠળ તમને 7 લાખ રૂપિયા નહીં મળે. તમને જણાવી દઈએ કે જો કોરોના સંક્રમણને કારણે તમારું નિધન થઈ જાય છે તો ઈન્સ્યોરન્સ બેનિફિટ રૂપે તમને 7 લાખ રૂપિયા આપવામાં આવે છે. પહેલા આ રકમ માત્ર 2 લાખ રૂપિયાની હતી. વધુમાં વધુ 6 લાખ રૂપિયા મળવાની જોગવાઈ હતી, હવે આ રકમમાં વધારો કરી 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.