એમ્પલૉઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતાનો સતત 3 વર્ષ સુધી ઉપયોગ ના થવા પર આપોઆપ બંધ થઇ શકે છે, જેના કારણે ખાતામાં રહેલા રૂપિયા ફસાઇ શકે છે. આ માટે જો તમારું EPF ખાતું લાંબા સમય સુધી બંધ છે તો તમે તેમાંથી પૈસા ઉપાડી લો. EPF સાથે જોડાયેલી જાણકારી.
EPF ખાતું ક્યારે બંધ થાય છે?
- જે ખાતામાં 36 મહિનાથી વધારે સમય સુધી પેન્શનની રકમ જતા નથી તેન નિષ્ક્રિય ખાતાની શ્રેણીમાં નાખી દેવામાં આવે છે, જોકે નિષ્ક્રિય ખાતા પર વ્યાજ મળતુ રહે છે. ખાતું નિષ્ક્રિય થયા પછી રૂપિયા નીકાળવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે. બેંકની મદદથી KYCની મદદથી તમે રૂપિયા નીકાળી શકો છો.
કોણ કરશે સર્ટિફાઇડ:
- નિષ્ક્રિય PF ખાતા સંબંધિત ક્લેમનું કામ પૂરું કરવા માટે જરૂરી છે કે તે ક્લેમને કર્મચારીના નિયુક્તા સર્ટિફાઈડ કરે. જે કર્મચારીઓની કંપની બંધ થઇ ચુકી છે અને ક્લેમ સર્ટિફાઈડ કરનાર કોઈ નથી તો આવા સમયે ક્લેમને બેન્ક KYCના ડોક્યુમેન્ટના આધાર પર સર્ટિફાઈડ કરવો.
જોઇશે આ ડોક્યુમેન્ટ્સ:
KYCના ડોક્યુમેન્ટ્સમાં PAN કાર્ડ, વોટર ID, પાસપોર્ટ, રેશન કાર્ડ, ઈએસઆઈ આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ સામેલ છે. KYC પછી આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર અથવા બીજા અધિકારી રકમ મુજબ વિડ્રોઅલ અથવા અકાઉન્ટ ટ્રાન્સફરની મંજૂરી આપી શકશે.
કોની મંજૂરીથી મળશે રૂપિયા?
50000 રૂપિયાથી વધુ પૈસા હોય તો આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરની મંજૂરી બાદ પૈસા નીકાળી શકશો અથવા ટ્રાન્સફર કરી શકશો. આ જ રીતે 25000 રૂપિયાથી વધુ અને 50000 રૂપિયાથી ઓછી રકમ હોય તો ફંડ ટ્રાન્સફર અથવા વિડ્રોઅલની મંજૂરી અકાઉન્ટ ઓફિસર આપી શકશે. જો રકમ 25000 રૂપિયાથી ઓછી હોય તો તેના માટે ડીલિંગ આસિસ્ટન્ટ મંજૂરી આપી શકશે.