કોરોનાકાળમાં ડિજીટલ વ્યવહારો વધી રહ્યા છે. ત્યારે હવે આજના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. દેશમાં હવે ઈ પાસપોર્ટ મળવા લાગશે
આગામી વર્ષથી દેશમાં ઈ પાસપોર્ટ મળવા લાગશે
પાસપોર્ટ કઢાવવા માટે ધક્કા ખાવા નહીં પડે
પાયલટ પ્રોજેક્ટ હાલમાં ચાલું છે
કોરોનાકાળમાં ડિજીટલ વ્યવહારો વધી રહ્યા છે. ત્યારે હવે આજના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. દેશમાં હવે ઈ પાસપોર્ટ મળવા લાગશે અને તેમાં એક ચિપ લાગેલી હશે. ઈ-પાસપોર્ટ સેવા કેન્દ્રોને અપગ્રેડ પણ કરવામાં આવશે. જ્યાં નવી ટેકનિક આધારિત પાસપોર્ટ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ઈ પાસપોર્ટ જાહેર પણ કર્યા
દેશમાં હવે ઈ આધાર કાર્ડ અને ઈ પાન કાર્ડ બાદ આગામી વર્ષથી નાગરિકોને ઈ પાસપોર્ટ પણ આપવામાં આવશે. હાલમાં સરકારે તેના માટે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે એજન્સીઓની પસંદગી કરવાના કામમાં લાગેલી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021થી ઈ પાસપોર્ટ જાહેર કરવાની શરૂઆત થઈ શકે છે. હાલમાં દેશમાં પ્રિન્ટેડ પાસપોર્ટ આપવામાં આવે છે. જે બુલલેટ તરીકે થાય છે. આ રિપ્લેસ કરતા હવે ઈ પાસપોર્ટની સુવિધા આપવામાં આવશે. 20,000 અધિકારીઓ અને રાજદૂતોને પાયલટ પ્રોજેક્ટ તરીકે ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ઈલેક્ટ્રોનિક માઈક્રોપ્રોસેસર ચિપ લગાવેલી છે.
Issuance of E-passports will be rolled out in 2022-23 to enhance convenience for citizens: Finance Minister Nirmala Sitharaman #Budget2022pic.twitter.com/4YIIZFc6dP
હકીકતમાં જોઈએ તો, સરાકર ઈ પાસપોર્ટ એટલા માટે આપવા માગે છે કે, જેથી કરીને છેતરપીંડીના કેસોને રોકી શકાય. આ ઉપરાંત પાસપોર્ટ જાહેર કરવાની પ્રક્રિયા પણ તેનાથી સરળ થઈ શકશે અને ઝડપી કામ થશે. હાલમાં લગભગ 15 દિવસમાં પાસપોર્ટ ઘરે પહોંચે છે. ઈ પાસપોર્ટ ઈંટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના સ્ટાંડર્ડર્સના માપદંડોના આધારે જાહેર કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ દેશભરમાં હાલના તમામ 36 પાસપોર્ટ કાર્યલયોથી ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. જો કે, તેના માટે અરજી કરવાની રીત પહેલા જેવી જ હશે.
ફ્રોડના કિસ્સાઓ ઘટાડવાનો હેતું
આ ઉપરાંત ઈ પાસપોર્ટ જાહેર કરવા માટે એક એવું યુનિટ પણ તૈયાર કરવામાં આવશે, જ્યાં દર કલાકે 10થી 20 હજાર પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. આવી વ્યવસ્થા દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં પણ હશે. ઈ પાસપોર્ટને લઈને થોડા દિવસ પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, તેનાથી છેતરપીંડી પર કંટ્રોલ થશે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર ઈંડિયન સિક્યોરિટી પ્રેસ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની સાથે મળીને ઈ પાસપોર્ટ ટેકનિકને લઈને કામ ચાલી રહ્યું છે. નવા જાહેર કરવામાં આવેલા પાસપોર્ટમાં કેટલાય સિક્યોરિટી ફિચર્સ આપવામાં આવશે, જેમાં છેતરપીંડીને કોઈ અવકાશ રહેશે નહીં.