સુરત મનપા દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા શહેરમાંથી આવતા અને જતા લોકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાવો પડશે. જેમા વેક્સિન લીધી હશે તેમણે પણ ટેસ્ટ કરવાવો પડશે.
સુરત મનપા દ્વારા કોરાના કાબૂમાં રાખવા લેવાયો મોટો નિર્ણય
તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતમાં તંત્ર હવે એકશન મોડમાં
શહેરમાં આવતા અને જતા લોકો માટે RTPCR ફરજિયાત
ગુજરાતમાં હાલ કોરોના શાંત પડી ગયો છે. જેના કારણે મોટા ભાગના લોકોને રાહત મળી છે. જોકે હજુ પણ કોરોનાથી પૂરી રીતે રાહત નથી મળી શકી. બીજી લહેર એટલી ઘાતક હતી કે જેને લઈને હાલ લોકોના મનમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે હવે તો તહેવારો આવી રહ્યા છે જેથી વધારે સાવધાની રાખવાની જરૂર છે.
દિવાળી પહેલા તંત્ર એલર્ટ
તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મનપા તંત્ર દિવાળી પહેલાજ એલર્ટ થઈ ગયું છે. મનપા દ્વારા લોકો શહેર છોડીને જાય તે પહેલા તેમને RTPCR ટેસ્ટ કરવવાનું કહેવામાં આવ્યું છે.તંત્ર દ્વારા આ નિર્ણય કોરોનાને કાબૂમાં લેવા માટે કરવામાં આવ્યો છે. કારણકે તહેવારોને કારણે કોરોના વધુ વકરી શકે છે.
72 કલાક RTPCR ટેસ્ટ માન્ય રહેશે
મનપા દ્વારા વધુમાં બીજો એક ખાસ નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે લોકો શહેરમાં આવશે તેમણે પણ RTPCR ટેસ્ટ કરાવવા પડશે. જેમા 72 કલાકની મર્યાદામાં RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે. જે લોકોએ વેક્સિન લીધી હશે તેમણે પણ RTPCR ટેસ્ટ કરાવવા પડશે. જેમા સંક્રમણ ન ફેલાય તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે બહારતી આવતા લોકોમાં સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં સુરત ફરવા જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય.