કેટલીક સરકારી બેંકો તરફથી બેન્કિંગ સુવિધાઓ માટે સેવા ચાર્જ વધારવાની અટકણો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. નાણા મંત્રાલયે કેટલાક તથ્ય લોકોની સામે રાખ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે 60 કરોડથી વધારે સેવિંગ બેંક ડિપોજિટ અથવા પ્રાથમિક બચત ખાતા પર કોઈ પણ પ્રકારના ચાર્જ નહીં લગાવવામાં આવે.
બેંકોએ સેવા ચાર્જમાં કોઈ વધારો કર્યો નથી
ડિપોજિટ અથવા પ્રાથમિક બચત ખાતા પર કોઈ પણ પ્રકારના ચાર્જ નહીં લગાવવામાં આવે
સ્થિતિ જોતા બેંક આ પરિવર્તનને પાછુ લઈ લીધું છે
કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે ગરીબ અને બેન્કિંગ સેવાઓથી બાકાત રહી ગયેલા લોકો માટે ખોલવામાં આવેલા 41.13 કરોડ જનધન ખાતાઓ માટે બેંક તરફથી કોઈ પણ સેવા શુલ્ક લેવામાં આવતો નથી. રેગ્યૂલર સેવિંગ્સ અકાઉન્ટ્સ, કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ અન કેશ ક્રેડિટ અકાઉન્ટ પર બેન્કોએ સેવા ચાર્જમાં કોઈ વધારો વધારો કર્યો નથી.
જોકે બેંક ઓફ બરોડાએ એક નવેમ્બર 2020થી રોકડ જમા અને રોકાણને લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકે કોઈ પણ ચાર્જ વગર જમા રકમ અને નિકાસની સીમા 5થી ઘટાડીને 3 કરી દીધી છે. જો કે કોરોના બાદ દેશમાં જે સ્થિતિ છે. તેને જોતા બેંક આ પરિવર્તનને પાછુ લઈ લીધું છે.
નાણા મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ બેંક આ રીતે કોઈ બદલાવ નથી કર્યો. બીજી તરફ રિઝર્વ બેંક ઈન્ડિયાએ પોતાની ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહી દીધું છે કે સરકારી બેંકો સહિત પોતાના ખર્ચના આધારે લેવી ચાર્જ કરવાની છુટ આપી છે.
આરબીઆઈએ કહ્યું કે બેંક જો લેવી ચાર્જ લેશે તે સ્પષ્ટ,પારદર્શી અને ભેદભાવ રહિત હશે. સાર્વજનિક સેક્ટરમાં બેંકોએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોરોનાને ધ્યાનમાં રાખા આવનારા સમયમાં બેંક કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ ગ્રાહકો પાસેથી ન લે.