ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે
ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથમાં થશે સવાર
માન્યતા પ્રમાણે નંદીઘોષ રથ ઇન્દ્રદેવ દ્વારા ભેંટ અપાયો હતો
નંદીઘોષ રથને સંપૂર્ણ પણે પીળા રંગથી શણગારવામાં આવે છે
તાલધ્વજ રથમાં ભાઇ બલભદ્ર સવાર થશે
બલભદ્રને રથ તાલવનના દેવતાઓએ ભેંટમાં આપ્યો હતો
બહેન સુભદ્રા પદ્માધ્વજ નામના રથમાં સવાર થશે
ભગવાન જગન્નાથનો રથ યાત્રામાં સૌથી છેલ્લે ચાલે છે
યાત્રામાં સૌપ્રથમ રથ ભાઇ બલભદ્રનો હોય છે
બહેન સુભદ્રાનો રથને વચ્ચે સ્થાન આપવામાં આવે છે
પુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે
ભગવાન જગન્નાથ નગરજનોના ખબર-અંતર પૂછશે
નીજ મંદિરથી નીકળી પરંપરાગત રૂટ પર રથયાત્રા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં રહેશે હાજર
અમદાવાદમાં રથયાત્રાના એક દિવસ અગાઉ CM રૂપાણી જગન્નાથ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. તો આવતીકાલ સવારે મંગળા આરતીના દર્શન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે.