બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની થશે રિએન્ટ્રી? અસિત મોદીએ આપી હિન્ટ

ટેલિવિઝન / શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની થશે રિએન્ટ્રી? અસિત મોદીએ આપી હિન્ટ

Last Updated: 02:01 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી જ્યારે દિશા વકાણી ગઈ ત્યારથી દર્શકો ઉદાસ છે. ઘણા વખતથી તેમની વાપસીની અફવાઓ આવે છે તો ક્યારેક નવા દયાબેન આવવાની ચર્ચાઓ પણ થાય છે. હવે અસિત મોદીએ આખરે એવો સંકેત આપ્યો છે કે શોના ચાહકોના ચહેરા પર ફરીથી સ્મિત આવી શકે છે. જાણો વિસ્તૃત માહિતી.

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે નાના પડદાના સૌથી લોકપ્રિય સિટકોમ્સમાંથી એક છે. આ શોના તમામ પાત્રો ઘરના સભ્ય જેમ જાણીતા થઈ ચૂક્યા છે, ખાસ કરીને દયાબેન અને જેઠાલાલ. દયાબેનનું પાત્ર દિશા વકાણીએ નિભાવ્યું હતું. તે 9 વર્ષ સુધી શોનો ભાગ રહી અને દયાબેનના પાત્રથી લોકોને હસાવ્યા.

જ્યારે દિશા વકાણીએ શો છોડ્યો ત્યારથી ફેન્સ તેમને ખૂબ યાદ કરે છે. હાલ તો એ છે કે મેકર્સ પણ દિશાની જગ્યા નથી ભરી શક્યા. તેઓ તેમને પરત લાવવાનો પ્રયાસ કરે છે પણ એક્ટ્રેસ પરિવારની જવાબદારીઓના કારણે વાપસી કરી શકતી નથી. હવે અસિત મોદીએ ફરી દયાબેન તરીકે દિશાની વાપસી પર નિવેદન આપ્યું છે.

TMKOC માટે દયા ભાભીની શોધ ચાલુ

એક તાજેતરના ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને પરત લાવશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અસિત મોદીએ કહ્યું, “શોની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. લોકો ફરિયાદ કરે છે કે દયા ભાભી ગયા પછી શો ગમતો નથી અને હું પણ એ સાથે સહમત છું. હું ટૂંક સમયમાં દયા ભાભીને પરત લાવીશ. લેખકો અને કલાકારોની આખી ટીમ દયાભીની ખોટ પૂરી કરવા માટે મહેનત કરે છે. દયા ભાભી ટૂંક સમયમાં પાછા આવશે.”

શું દિશાની શોમાં વાપસી થશે?

અસિત મોદીના જણાવ્યા મુજબ તેઓ દિશા વકાણીને જ TMKOC માં પાછી લાવવાની ઇચ્છા રાખે છે. તેમણે કહ્યું, “અમે ફક્ત ઇશ્વર પાસે પ્રાથના કરી શકીએ કે દિશા વકાણી પાછી આવી જાય. તેમને પાસે ફેમિલી ડ્યૂટીઝ છે. તે મારી નાની બહેન જેવી છે અને આજે પણ અમે પરિવાર જેવા છીએ. તેમનું પરત આવવું મુશ્કેલ હોઈ શકે છે. મેં આ પાત્ર માટે કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કર્યા છે અને તમે ટૂંક સમયમાં તેમને જોઈ શકશો. તેમને ગયા પાંચ વર્ષ થઇ ગયા અને આજે પણ અમે તેમને યાદ કરીએ છીએ. તે સહ કલાકારો તેમજ ક્રૂની પણ ખૂબ સંભાળ લેતી. અમારું લક્ષ્ય છે કે દિશા વકાણી જેવી વ્યક્તિ મળી જાય.”

વધુ વાંચો: 'આ વખતે 251 છોકરીઓના મે લગ્ન કરાવ્યા, તોય...', કેમ ઉર્વશી રૌતેલાનું દર્દ છલક્યું?

થોડા વખત પહેલા એવી ખબર આવી હતી કે ટીવી એક્ટ્રેસ કાજલ પિસલ નવી દયાબેન બનીને શોમાં આવશે, પણ તેમણે આ વાતને નકારી કાઢી હતી. તેમનું કહેવું હતું કે તેમણે 2022માં ઓડિશન આપ્યું હતું, પણ ત્યારથી તેમને કોઈ કોલ આવ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Asit Modi Disha Vakani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ