બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'લોકો બરાબર સાંભળતા પણ નથી', મંદિર વિવાદ પર ઉર્વશી રોતૈલાએ લીધો યુટર્ન

મનોરંજન / 'લોકો બરાબર સાંભળતા પણ નથી', મંદિર વિવાદ પર ઉર્વશી રોતૈલાએ લીધો યુટર્ન

Last Updated: 10:46 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ઉર્વશી રૌતેલા મંદિર વિવાદને કારણે મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ દાવો કર્યો હતો કે તેમના નામે મંદિર છે. આ નિવેદન બાદ લોકો તરફથી તેમની ટીકા થવા લાગી હતી. હવે આ અંગે ઉર્વશીનું નિવેદન સામે આવ્યું છે.ચાલો જાણીએ શું હતી ઘટના?

ઉર્વશીએ પોતાના પહેલા નિવેદનમાંથી યુ-ટર્ન લીધો

વિવાદ વધતાં ઉર્વશીએ પોતાના પહેલા નિવેદનમાંથી યુ-ટર્ન લીધો છે. તેમની ટીમ તરફથી એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું છે કે, તેમણે એવું ક્યારેય નથી કહ્યું કે ઉર્વશી રૌતેલાનું મંદિર છે. પરંતુ તેમણે કહ્યું હતું કે તેમના નામે એક મંદિર છે. એટલે કે ઉત્તરાખંડમાં 'ઉર્વશી રૌતેલા નામે મંદિર છે', તેમનો અર્થ એવો હતો.

ઉર્વશીની ટીમએ શું કહ્યું?

તેમની ટીમે જણાવ્યું કે લોકો યોગ્ય રીતે સાંભળતાં નથી. 'ઉર્વશી' અને 'મંદિર' શબ્દ સાંભળીને જ ઘણાં લોકોએ માન્યતા આપી દીધી કે લોકો ઉર્વશીની પૂજા કરે છે. આ વાતને વધારવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું છે. અભિનેત્રીની ટીમે સ્પષ્ટ કહ્યુ કે વીડિઓને ઠીકથી સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારના તથ્યહીન આરોપ કે અપમાનજનક ટિપ્પણી ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે સમાજમાં એકબીજાને માન આપવું જોઈએ અને સમજદારીથી વર્તવું જોઈએ જેથી સૌના અધિકારોનું રક્ષણ થઈ શકે.

ઉર્વશીની માતા મીરાએ પણ સ્પષ્ટતા આપી

આ વિવાદ બાદ ઉર્વશીની માતા મીરાએ પણ સ્પષ્ટતા આપી હતી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મંદિરની તસવીર શેર કરીને લખ્યું હતું, “ઉર્વશી રૌતેલાએ કહ્યુ હતું કે ‘ઉત્તરાખંડમાં મારા નામનું મંદિર છે’, એવું ક્યારેય નથી કહ્યું કે ‘મારું મંદિર છે’. હવે લોકો તો વાતને સાચી રીતે સાંભળતા પણ નથી. માત્ર 'ઉર્વશી' અને 'મંદિર' શબ્દો સાંભળીને સમજી લે છે કે લોકો ઉર્વશીની પૂજા કરે છે.”

વધુ વાંચો: 'JAAT' ઇતિહાસ સર્જવાને નજીક, કલેક્શનમાં આટલા જ કરોડ બાકી, વાગશે સની પાજીનો ડંકો

તેમણે કહ્યું કે દિલ્હી યુનિવર્સિટીમાં ‘દમદમી માઈ’ તરીકે ઉર્વશીની પૂજા કરાઈ હતી અને તેનો ન્યૂઝ આર્ટિકલ પણ છે. મીરાએ કહ્યું કે જેમણે ઉર્વશીના નિવેદન પર ખોટી રીતે વાતો ફેલાવવાનું કામ કર્યું છે, તેમના સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સામે આધાર વગરના આરોપ લગાવતાં પહેલાં, તથ્યોની યોગ્ય તપાસ થવી જ જોઈએ. આ રીતે જ એક સમૃદ્ધ અને સમજદારી ભરેલો સમાજ બની શકે છે, જ્યાં સૌના અધિકારોની રક્ષા થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarakhand temple controversy Urvashi Rautela Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ