બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 21 April 2025
ઉર્વશીએ પોતાના પહેલા નિવેદનમાંથી યુ-ટર્ન લીધો
ADVERTISEMENT
વિવાદ વધતાં ઉર્વશીએ પોતાના પહેલા નિવેદનમાંથી યુ-ટર્ન લીધો છે. તેમની ટીમ તરફથી એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું છે કે, તેમણે એવું ક્યારેય નથી કહ્યું કે ઉર્વશી રૌતેલાનું મંદિર છે. પરંતુ તેમણે કહ્યું હતું કે તેમના નામે એક મંદિર છે. એટલે કે ઉત્તરાખંડમાં 'ઉર્વશી રૌતેલા નામે મંદિર છે', તેમનો અર્થ એવો હતો.
URVASHI'S TEAM DENIES TEMPLE REMARKS:
— $@M (@SAMTHEBESTEST_) April 20, 2025
"#UrvashiRautela said that there is a temple in my name in Uttarakhand, not Urvashi Rautela’s temple. Now people don’t even listen to things properly; just hearing ‘Urvashi’ or ‘temple,’ they assumed that people worship Urvashi Rautela." pic.twitter.com/7PAwFMS8CH
ADVERTISEMENT
ઉર્વશીની ટીમએ શું કહ્યું?
તેમની ટીમે જણાવ્યું કે લોકો યોગ્ય રીતે સાંભળતાં નથી. 'ઉર્વશી' અને 'મંદિર' શબ્દ સાંભળીને જ ઘણાં લોકોએ માન્યતા આપી દીધી કે લોકો ઉર્વશીની પૂજા કરે છે. આ વાતને વધારવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું છે. અભિનેત્રીની ટીમે સ્પષ્ટ કહ્યુ કે વીડિઓને ઠીકથી સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારના તથ્યહીન આરોપ કે અપમાનજનક ટિપ્પણી ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે સમાજમાં એકબીજાને માન આપવું જોઈએ અને સમજદારીથી વર્તવું જોઈએ જેથી સૌના અધિકારોનું રક્ષણ થઈ શકે.
ઉર્વશીની માતા મીરાએ પણ સ્પષ્ટતા આપી
આ વિવાદ બાદ ઉર્વશીની માતા મીરાએ પણ સ્પષ્ટતા આપી હતી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મંદિરની તસવીર શેર કરીને લખ્યું હતું, “ઉર્વશી રૌતેલાએ કહ્યુ હતું કે ‘ઉત્તરાખંડમાં મારા નામનું મંદિર છે’, એવું ક્યારેય નથી કહ્યું કે ‘મારું મંદિર છે’. હવે લોકો તો વાતને સાચી રીતે સાંભળતા પણ નથી. માત્ર 'ઉર્વશી' અને 'મંદિર' શબ્દો સાંભળીને સમજી લે છે કે લોકો ઉર્વશીની પૂજા કરે છે.”
વધુ વાંચો: 'JAAT' ઇતિહાસ સર્જવાને નજીક, કલેક્શનમાં આટલા જ કરોડ બાકી, વાગશે સની પાજીનો ડંકો
તેમણે કહ્યું કે દિલ્હી યુનિવર્સિટીમાં ‘દમદમી માઈ’ તરીકે ઉર્વશીની પૂજા કરાઈ હતી અને તેનો ન્યૂઝ આર્ટિકલ પણ છે. મીરાએ કહ્યું કે જેમણે ઉર્વશીના નિવેદન પર ખોટી રીતે વાતો ફેલાવવાનું કામ કર્યું છે, તેમના સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સામે આધાર વગરના આરોપ લગાવતાં પહેલાં, તથ્યોની યોગ્ય તપાસ થવી જ જોઈએ. આ રીતે જ એક સમૃદ્ધ અને સમજદારી ભરેલો સમાજ બની શકે છે, જ્યાં સૌના અધિકારોની રક્ષા થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.