બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Hera Pheri 3'ને અલવિદા કહ્યાં બાદ પરેશ રાવલે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
Last Updated: 09:40 AM, 24 May 2025
‘હેરા ફેરી’ ફિલ્મ શ્રેણીમાં બાબૂ ભૈયાના પાત્રમાં જાણીતા થઈ આવેલા અભિનેતા પરેશ રાવલ ફરી એક વાર ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેમણે ‘હેરા ફેરી 3’ ઓફિશિયલી છોડી દીધી હતી. હવે મળતી માહિતી અનુસાર પરેશ રાવલે પોતાને મળેલ સાઇનિંગ અમાઉન્ટ પરત આપ્યું છે એ પણ વ્યાજ સહિત! તો શા માટે તેમણે આવું કર્યું એ જાણવું રસપ્રદ છે.
ADVERTISEMENT
પરેશ રાવલએ વ્યાજ સહિત પૈસા પરત આપ્યા
એક રિપોર્ટ મુજબ પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે રૂપિયા 11 લાખની સાઇનિંગ અમાઉન્ટ મળી હતી. હવે તેઓએ આ રકમ 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરી છે. એવી માહિતી પણ મળી છે કે પરેશ રાવલે મૂળ રકમ કરતા થોડી વધુ રકમ આપી છે જેથી ફિલ્મના નિર્માતાઓને કોઈ મુશ્કેલી ન થાય.
ADVERTISEMENT
ફિલ્મની શરતો બની કારણ?
મીડિયા રિપોર્ટ મુજબ પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે કુલ 15 કરોડ રૂપિયા મળવાના હતા. જેમાંથી 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ તેઓએ મેળવી લીધી હતી, જ્યારે બાકી 14 કરોડ 89 લાખ રૂપિયા તેમને ફિલ્મ રિલીઝ થયા પછી એક મહિને મળવાના હતા.
એમ કહેવાય છે કે આ પ્રકારની શરતો પરેશ રાવલને પસંદ ન પડી, અને આ કારણે તેમણે ફિલ્મ છોડી હતી. વધુમાં એવું પણ જણાવાયું છે કે ફિલ્મ 2026ના અંત પહેલાં રિલીઝ થઈ શકે તેમ નથી.
I wish to put it on record that my decision to step away from Hera Pheri 3 was not due to creative differences. I REITERATE THAT THERE ARE NO CREATIVE DISAGREEMENT WITH THE FILM MAKER . I hold immense love, respect, and faith in Mr. Priyadarshan the film director.
— Paresh Rawal (@SirPareshRawal) May 18, 2025
વધુ વાંચો: પરેશ રાવલને અક્ષય કુમારે મોકલી 25 કરોડની લીગલ નોટિસ, શું 'Hera Pheri 3' છોડવી ભારે પડી?
અક્ષય કુમારની કંપનીએ કેસ કર્યો?
કેટલાંક રિપોર્ટ્સ અનુસાર એવી જાણકારી પણ મળી છે કે અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ દ્વારા પરેશ રાવલ સામે રૂ. 25 કરોડનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પરેશ રાવલના ફિલ્મમાંથી અચાનક બહાર નીકળી જવાથી નિર્માતાઓને ભારે નાણાંકીય નુકસાન વેઠવું પડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.