બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોલિવૂડનો એ મુસ્લિમ સ્ટાર, જેની એન્ટ્રી પર પાકિસ્તાને પણ લગાવ્યો હતો બેન, જાણો કારણ

મનોરંજન / બોલિવૂડનો એ મુસ્લિમ સ્ટાર, જેની એન્ટ્રી પર પાકિસ્તાને પણ લગાવ્યો હતો બેન, જાણો કારણ

Last Updated: 03:50 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના એ મુસ્લિમ સ્ટાર જેના પ્રવેશ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જાણો શું હતું કારણ?

બોલીવુડના દિગ્ગજ સ્ટાર ફિરોજ ખાનને વિદાય લીધા આજે 16 વર્ષ થયા છે. 27 એપ્રિલ 2009ના રોજ ફેફસાના કેન્સરથી તેમનું અવસાન થયું હતું. ફિરોઝ ખાન બોલીવુડના એવા સ્ટાર હતા, જે તેમના બેફિકર સ્વભાવ માટે જાણીતા હતા અને એ જ બેફિકર સ્વભાવના કારણે પાકિસ્તાને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

શું હતી ઘટના?

આ ઘટના ફિરોઝ ખાનના અવસાનના ત્રણ વર્ષ પહેલા, વર્ષ 2006ની છે. એ પણ એપ્રિલનો જ મહિનો હતો. ફિરોઝ તેમના ભાઈ અકબર સાથે ફિલ્મ 'તાજ મહલ'ના પ્રમોશન માટે પાકિસ્તાન ગયા હતા અને લાહોરમાં તેમણે એક પાકિસ્તાની અખબારને એવું નિવેદન આપ્યું કે, જે ત્યાંની સરકારને ગમ્યું નહીં.

"હું એક ગર્વિત ભારતીય છું..."

ફિરોઝ ખાનને ભારતમાં મુસલમાનોની સ્થિતિ અંગે ટિપ્પણી કરવાનું કહેવમાં આવ્યું હતું . તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "હું એક ગર્વિત ભારતીય છું. ભારત એક ધર્મ નિષ્ણાત દેશ છે. ત્યાંના મુસલમાનો ખુબજ પ્રગતિ કરી રહ્યા છે. અમારા રાષ્ટ્રપતિ મુસલમાન છે (એ.પી.જે. અબ્દુલ કલામ) અને પ્રધાનમંત્રી શીખ છે (ડૉ. મનમોહન સિંહ). પાકિસ્તાન ધર્મના નામે બન્યું, પણ જુઓ અહીં મુસલમાન મુસલમાનોને જ મારી રહ્યા છે."

firoz-khan-2

ફિરોઝ ખાન અહીં જ અટક્યા નહોતા. તેમણે આગળ કહ્યું હતું, "હું અહીં પોતે આવીને બેઠો નથી. મને અહીં બોલાવાયો છે. અમારી ફિલ્મો એટલી શક્તિશાળી હોય છે કે પાકિસ્તાની સરકાર તેને લાંબા સમય સુધી રોકી શકતી નથી."

પાક રાષ્ટ્રપતિનો નિર્ણય

ફિરોઝ ખાનનું આ નિવેદન ત્યારે પાકિસ્તાના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ગમ્યું નહીં અને તેમણે ફિરોઝ ખાનના પાકિસ્તાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો. એક ખાનગી ટીવી ચેનલે એ વખતે ખબર ચલાવી હતી કે, "આગામી સમયમાં ફિરોઝ ખાને પાકિસ્તાનમાં પ્રવેશ મળશે નહીં. પાક રાષ્ટ્રપતિનો નિર્ણય દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનને જાણ કરાયો છે."

પાકિસ્તાન દ્વારા દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનને મોકલાયેલ નોટિસમાં લખાયું હતું કે, 'રાષ્ટ્રપતિ ભવને ફિરોઝ ખાનના એ નિવેદનને ધ્યાનમાં લઈને ભારતીય અને પાકિસ્તાની મીડિયા દ્વારા વ્યાપકપણે આવરી લેવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓને ખાને બ્લેકલિસ્ટ કરવા અને તેમના પાકિસ્તાન પ્રવેશ પર પ્રતિબંધ મુકવા માટે સૂચના આપવામાં આવી છે.'

firoz-khan-last

ફિરોઝ ખાન જીવનના છેલ્લા ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન જઈ શક્યા નહીં

આ ઘટનાના પછી ફિરોઝ ખાન તેમના જીવનના છેલ્લા ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન જઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, ફિરોઝ ખાન સાથે એ પ્રવાસ પર તેમના ભાઈ અકબર ખાન, સંજય ખાન ઉપરાંત પહલાજ નિહલાની, ફરદીન ખાન, શ્યામ શ્રોફ, શત્રુઘ્ન સિન્હા, મહેશ ભટ્ટ, વિકાસ મોહન, મનીષા કોઈરાલા અને અન્ય લોકો પણ હતા.

વધુ વાંચો: 800 કરોડની ફિલ્મ 'છાવા'માં નિભાવ્યો સંભાજીનો રોલ, શું હવે વિક્કી કૌશલ આ ઓલિમ્પિયનની ભૂમિકા ભજવશે?

આ મુસાફરી દરમ્યાન એક કાર્યક્રમમાં એન્કરે મનીષા કોઈરાલા અંગે અશિસ્તભરી ટિપ્પણી કરી હતી, જેને ફિરોઝ ખાને સહન નહોતું કર્યું. એક્ટર ફખ-એ-આઝમે મનીષા વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "તમે તો કાંપી રહ્યા છો. તેથી હું તમારે વિશે કંઈક પૂછતો નથી." મનીષા તો આ પરિસ્થિતિમાં કશું બોલી શકી નહી, પણ ફિરોઝ ખાને એન્કરને તરત જ ચેતવણી આપી હતી કે જો તેણે એક્ટ્રેસ પાસે માફી ન માંગી તો પરિણામ સારું નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan banned firoz khan Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ