બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કપૂર ખાનદાનની આ વહુ છે રાજવી પરિવારથી, લગ્ન પછી લીધો ક્યારેય મા ન બનવાનો નિર્ણય, જાણો શા માટે?

મનોરંજન / કપૂર ખાનદાનની આ વહુ છે રાજવી પરિવારથી, લગ્ન પછી લીધો ક્યારેય મા ન બનવાનો નિર્ણય, જાણો શા માટે?

Last Updated: 03:27 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Entertainment: ગીતા બાલીના અચાનક મૃત્યુ પછી શમ્મી કપૂર અને તેમના બે બાળકો સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા ત્યારે નીલા દેવી તેમના જીવનમાં આવ્યા. જાણો શમ્મી કપૂરના પુત્ર આદિત્યએ તેમની સૌતેલી માતા વિશે શું કહ્યું.

બોલિવૂડમાં કપૂર પરિવાર હંમેશાથી જ ખાસ અને પ્રખ્યાત રહ્યો છે. પૃથ્વીરાજ કપૂર પછી, રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે પણ બોલિવૂડમાં ઘણું નામ બનાવ્યું. શમ્મી કપૂરના પહેલા લગ્ન પ્રખ્યાત અભિનેત્રી ગીતા બાલી સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી, ગીતા બાલીનું અચાનક બીમારીને કારણે અવસાન થયું. શમ્મી કપૂરને તેમની પ્રેમિકા અને પત્નીના અચાનક મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો. શમ્મી કપૂર અને ગીતા બાલીના બે બાળકો, દીકરી કંચન અને દીકરો આદિત્ય પણ ગીતા બાલીના મૃત્યુથી દુઃખી હતા. થોડા વર્ષો પછી, પરિવારના આગ્રહથી અને બાળકોની ખાતર, શમ્મી કપૂરે નીલા દેવી સાથે બીજા લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પછી શમ્મી કપૂર અને નીલા દેવીને કોઈ સંતાન ન થયું. આ પાછળ નીલા દેવીનો એક મોટો નિર્ણય હતો.

neila-devi

રાજવી પરિવાર સાથે જોડાયેલા હતા નીલા દેવી

એવું કહેવાય છે કે નીલા દેવી રાજવી પરિવારના હતા. શમ્મી કપૂર સાથે લગ્ન કર્યા પછી, જો તેઓ ઇચ્છતા, તો તેઓ પણ બાળકોની માતા બની શક્યા હોત. પરંતુ શમ્મી કપૂરના બાળકો માટે, તેમણે માતા ન બનવાનો નિર્ણય લીધો. એક ઇન્ટરવ્યુમાં, શમ્મી કપૂરના પુત્ર આદિત્યએ કહ્યું કે નીલા દેવીએ તેમના જીવનમાં આવીને માતાની કમીને પૂરી કરી દીધી હતી. તેઓ એવી પત્ની બન્યા કે જેમણે જીવનના દરેક વળાંક પર પોતાના પતિનો સાથ આપ્યો. સાથે જ તેઓ એક એવી માતા બન્યા તેઓ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે શમ્મી કપૂર અને બાળકોના જીવનમાં ખાલી જગ્યાને સંપૂર્ણપણે ભરી દીધી. તેમણે અમારા માટે નિર્ણય લીધો કે તેઓ માતા નહીં બને, કારણ કે જો તેમણે બાળકો થશે, તો કદાચ તેમનો પ્રેમ વિભાજીત થઈ જશે.

આ પણ વાંચો: PHOTOS : ભોજપુરી અભિનેત્રીનો ગ્લેમરસ લૂક તમને હચમચાવી નાંખશે, તસવીરો એકેએકથી હટકે

નિર્ણયનું સન્માન કર્યું

આદિત્યએ કહ્યું કે તે શમ્મી કપૂરને ધમકીભર્યા પત્રો લખતો હતો કે તે સ્કૂલેથી કશે ભાગી જશે. આદિત્યએ કહ્યું કે માતાના મોત બાદ પિતા ભાગી પડ્યા હતા, ત્યારે મેં તેમને કહ્યું કે તેઓ પોતાની પસંદની કોઈ મહિલા સાથે લગ્ન કરી શકે છે. તેને પણ માતાની જરૂર હતી અને કંચનને પણ. નીલા દેવીનો માતા ન બનવાનો નિર્ણય હંમેશા મક્કમ રહ્યો. આદિત્યએ કહ્યું કે આ બતાવે છે કે માતા એક પરિવાર માટે કેટલી જરૂરી હોય છે. પણ અમને હંમેશા મારી માતા ગીતા બાલીની ખોટ સાલતી રહી. નીલાએ પૂરા દિલથી આદિત્ય અને કંચનને ઉછેર્યા અને શમ્મી કપૂરનું પણ ધ્યાન રાખ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Neila Devi Shammi Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ