બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘તમારું લોહી ઉકળતું નથી…’, ભારત-પાકિસ્તાન તણાવ પર ચૂપ છે કેટલાક બોલીવૂડ સિતારાઓ, ટોચની અભિનેત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

બોલિવૂડ / ‘તમારું લોહી ઉકળતું નથી…’, ભારત-પાકિસ્તાન તણાવ પર ચૂપ છે કેટલાક બોલીવૂડ સિતારાઓ, ટોચની અભિનેત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

Last Updated: 03:05 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અભિનેત્રીએ એવા મુસ્લિમ સ્ટાર્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે, જે પાકિસ્તાની ફોલોઅર્સના ડરથી 'ઓપરેશન સિંદૂર' કે પાકિસ્તાન વિરુદ્ધ કંઈ નથી બોલતા. તેમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને પરેશ રાવલે પણ ખુબ વખાણ્યો છે.જુઓ વીડિયોમાં અભિનેત્રીએ શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી તણાવ ચાલુ છે. પેહલગામ ટેરર અટેક પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેના કારણે પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો. પાકિસ્તાની કલાકારો સોશિયલ મીડિયામાં ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. જ્યારે ભારતમાં કેટલાંક બોલીવૂડ અને ટીવી સેલેબ્સ માત્ર દેશ અને ભારતીય સેનાનો સપોર્ટ કરી રહ્યા છે, ત્યાં કેટલાક કલાકારો એવા છે, જે આ તણાવ તથા પાકિસ્તાન અંગે ખુલ્લેઆમ કંઈ નથી કહી રહ્યા.

ફલક નાઝનો વાયરલ વીડિયો

આ વચ્ચે ટીવી અભિનેત્રી અને 'બિગ બોસ ઓટીટી 2' ની સ્પર્ધક ફલક નાઝનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એવા સેલેબ્સ પર ગુસ્સો કાઢતી જોવા મળી રહી છે, જે આ તણાવ અને પાકિસ્તાન અંગે મૌન ધારણ કરીને બેઠા છે. તેમના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યૂઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં ફલકે ખાસ કરીને એવા ભારતીય મુસ્લિમ અભિનેતાઓને ઠપકો આપ્યો છે, જે દેશમાં ચાલી રહેલી ઘટનાઓ પર કંઈ નથી બોલતા.

ઘણા કલાકારો પર ફલક નાઝ ભડકી

તેમનું કહેવું છે કે આ લોકો એટલા માટે ચૂપ છે કારણ કે તેમને ડર છે કે તેમના પાકિસ્તાની ફોલોઅર્સ ઘટી જશે. ફલકે વીડિયોમાં કહ્યું, “હું આ વીડિયો બનાવવા માંગતી ન હતી, પણ હવે હું ચૂપ રહી શકતી નથી. હું એ લોકોને લઈને ગુસ્સામાં છું, જે મુસ્લિમ છે પણ પોતાના દેશ માટે કંઈ નથી બોલતા. એવું લાગે છે કે તેઓને ફક્ત પોતાની ફોલોઅિંગ અને રીચની ચિંતા છે. જ્યારે પાકિસ્તાન તરફથી કંઈક ખોટું થાય છે, ત્યારે પણ એ લોકો કંઈ નથી બોલતા, કદાચ આ ડરથી કે તેમની ઓડિયન્સ નારાજ થઈ જશે.”

ફલક નાઝે વીડિયો દ્વારા વ્યક્ત કર્યું દુઃખ

ફલકે આગળ કહ્યું કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે કેટલાક લોકોના મૌનથી બીજાઓનો વિશ્વાસ તૂટે છે. તેમણે કહ્યું કે કદાચ આપણા હિન્દુ ભાઈ-બહેનો આપણાં પર વિશ્વાસ એ માટે નથી રાખી શકતા કેમ કે કેટલાક લોકો સમય આવે ત્યારે સાથે નથી રહેતા. તેમણે એવું પણ કહ્યું કે વિશ્વાસ જીતવો પડે છે, તે એમ જ નથી મળી જતો. જ્યારે જરૂર પડે ત્યારે ઊભા રહેવું જોઈએ, ત્યારે જ કોઈ આપણાં પર વિશ્વાસ કરશે. ફલકે તેમની વાતમાં ઈસ્લામનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ધર્મમાં પણ કહેવાયું છે કે સૌપ્રથમ દેશ સાથે પ્રેમ રાખો.

એ પ્રેમ કયાં ગયો?

તેમણે સવાલ કર્યો કે જ્યારે દેશની પરિસ્થિતિ ખરાબ છે, તો પછી એ પ્રેમ કયાં ગયો? તેમણે કહ્યું કે જો તમે તમારા દેશને પ્રેમ કરો છો તો સમય આવે ત્યારે તેના માટે ઊભા પણ રહેવું જોઈએ. ફક્ત નારા લગાવવાથી કશું થતું નથી. તેમણે કહ્યું કે દુઃખની વાત એ છે કે કેટલાક લોકો ફક્ત ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. ફલકે ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોને સલાહ આપી કે તેમને પાકિસ્તાની કલાકારો પાસેથી કંઈક શીખવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનના કલાકારોએ ભારતમાં કામ કર્યું, પૈસા કમાયા, ફોલોઅર્સ બનાવ્યા.

paresh-raval

પરેશ રાવલે શેર કર્યો વીડિયો

તેમણે આગળ કહ્યું કે આજે જ્યારે વાત તેમના દેશની છે ત્યારે તેઓ ખુલ્લેઆમ તેના સમર્થનમાં ઊભા છે. જ્યારે અહીં કેટલાક લોકો મૌન છે. તેમણે પૂછ્યું કે જ્યારે દેશ તમારા સાથે ઊભો છે, તો તમે તમારા દેશ માટે કેમ નથી બોલી શકતા?

વધુ વાંચો: ‘મારે કોઈ લેવાદેવા નથી...’, ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હીના ખાને કરી એવી પોસ્ટ, વાયરલ થતા જ ચર્ચાનો વિષય બની ગઈ

અંતમાં ફલકે કહ્યું કે તેમના ફોલોઅિંગ લિસ્ટમાં ઘણા લોકો એવા છે જે આજકાલ ફક્ત પોતાના રોજિંદા જીવનના વીડિયો અને સ્ટોરીઝ શેર કરી રહ્યા છે. પણ ‘ઓપરેશન સિંદૂર’ પર એક શબ્દ પણ નથી બોલ્યા. તેમણે કહ્યું કે એ જ કારણ છે કે કેટલાક લોકો અમારી કૌમ પર વિશ્વાસ રાખી શકતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Pakistan tension Actress Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ