વર્ષ 2022 ની સરખામણીએ વર્ષ 2023 માં હૃદય રોગના હુમલામાં 27% જેટલો મોટો વધારો નોંધાયો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
હૃદય રોગના હુમલાઓમાં ચિંતાજનક ઉછાળો
2022 ની સરખામણીએ વર્ષ 2023 માં હૃદય રોગના હુમલામાં 27 ટકા જેટલો વધારો
2022 માં રાજ્યમાં 108ને કુલ 4,549 કોલ મળ્યા હતા જ્યારે 2023 માં 5787 કોલ મળ્યા
રાજ્યમાં હાલની સ્થિતિએ હૃદય રોગના હુમલાઓમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. જેમાં પણ ખાસ યુવાનોમા નોંધપાત્ર હાર્ટએટેકના કેસ સામે આવી રહ્યા છે. વર્ષ 2022 ની સરખામણીએ વર્ષ 2023 માં હૃદય રોગના હુમલામાં 27% જેટલો મોટો વધારો નોંધાયો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. 108 ને રાજ્યમાંથી મળેલા કોલની વાત કરવામાં આવે તો 2022 માં રાજ્યમાં કુલ 4,549 કોલ મળ્યા હતા જ્યારે 2023 માં હૃદય રોગ હુમલા મામલે 5787 કોલ મળ્યા હોવાનું 108 ના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહે છે.
2023ના ફેબ્રુઆરી મહિનામાં જ હદયરોગના હુમલા સંબંધી કેસમાં વધારો
ગત વર્ષે માસમાં અમદાવાદ શહેરમાં 1341 કોલ મળ્યા હતા. તો 2023માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા હતા. સુરતમાં 2022માં 308 કોલ અને વર્ષ 2023મા 386 કોલ મળ્યા હતા. રાજકોટમાં વર્ષ 2022 માં 289 તો વર્ષ 2023મા 357 કોલ મળ્યા હતા. એ જ રીતે વડોદરામાં 2022માં 228 અને વર્ષ 2023મા 286 કોલ મળ્યા છે. આકડા એવું દર્શાવે છે કે વર્ષ 2022 ફેબ્રુઆરી કરતા પણ વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં જ હદયરોગના હુમલા સંબંધી કેસમાં વધારો નોંધાયો છે. ફેબ્રુઆરી માસમા હદયરોગના હુમલા સંબંધી કેસમા 45.48 ટકા કોલ વધ્યા છે.
છાતીનો દુખાવો
ઘણી વખત તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કોઈને છાતીમાં દુખાવા વગર જ હાર્ટ એટેક આવી જાય છે.
ગળામાં-જડબામાં દુખાવો
જો તમને અથવા તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
વધુ પડતો પરસેવો
કોઈપણ વર્કઆઉટ અને કામ કર્યા વગર વધુ પડતો પરસેવો થવો તે હૃદય રોગનો સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે ટો ત્યારે કોઈ કારણ વગર જ વધુ પડતો પરસેવો થાય છે. જો આ લક્ષણ તમને જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો.
ચક્કર આવવા
ચક્કર આવવા એ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતા-પિતાના શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ ફળો ઓછું થઈ જાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.
ઉલટી, ઉબકા અને ગેસ
ઉલટી પછી ઉબકા થવા તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને કે તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. પગમાં સોજો, ગુટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત, હૃદયમાં યોગ્ય રક્ત સર્ક્યુલેશનના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે.
હાઈ બ્લડ પ્રેશર
તાજેતરમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આ રોગનું જોખમ વધે છે. તમે તમારા માતા-પિતાનો દર અઠવાડિયે ડિજિટલ બ્લડ પ્રેશર માપવાની મશીનની મદદથી બ્લડ પ્રેશર ચેક કરી શકો છે. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય, તો તમારે નિયમિત તપાસ કરાવવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત મહેનત કરી શકે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.
હાઈ બ્લડ સુગર
હાઈ બ્લડ સુગરથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારે છે. લોહીમાં ખાંડના સ્તરમાં વધારો થવાને કારણે, કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે. આ રક્ત વાહિનીઓના કાર્યને અવરોધે છે. તેથી હૃદયની તંદુરસ્તી જાળવવા માટે સમયાંતરે બ્લડ સુગર લેવલ તપાસવું મહત્વનું છે.
હાઈ કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળતું ચરબી જેવું પદાર્થ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. તેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે અને કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે હૃદયરોગનું જોખમ વધે છે. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ નિયમિત ચેક કરાવો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.