કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જારી લોકડાઉનના સમય મર્યાદાને 3 મે સુધી લંબાવી દીધી છે. જો કે ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું કે દેશની જનતાને ખાતરી આપુ છું કે ભારતમાં અન્ન, દવા તેમજ રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, જેને લઇને કોઇપણ નાગરિકે પરેશાન થવાની આવશ્યકતા નથી. અમિત શાહે દેશની જનતાને દિશા-નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું.
ભારતમાં 3 મે સુધી વધારાયો લોકડાઉનનો સમય
અમિત શાહનું નિવેદન, દેશમાં પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને લઇને એક ટ્વિટ કર્યું છે. જેમાં પહેલા ટ્વિટમાં જણાવ્યું કે આજે જ્યારે વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતની જનતાએ તેની સામેની લડાઇનું એક ઉદાહરણ રજુ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સમય પર લેવામાં આવેલા પગલા અને તેમા જનતાનું સમર્થન એકબીજાના ઓળખ બન્યાં છે.
देश के गृह मंत्री के नाते मैं जनता को पुनः आश्वस्त करता हूँ कि देश में अन्न, दवाई व अन्य रोजमर्रा की चीज़ों का प्रयाप्त भण्डार है, इसलिए किसी भी नागरिक को परेशान होने की आवश्यकता नहीं है। साथ ही संपन्न लोगों से निवेदन करता हूँ कि आप आगे आकर आसपास रहने वाले गरीबों की सहायता करें।
અમિત શાહે બીજા ટ્વિટ દ્વારા કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કોવિડ-19 ને ફેલાવવાથી રોકવા તેમજ તેને સમાપ્ત કરવાને લઇને દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનને ત્રણ મે સુધી વધારાવનો નિર્ણય ભારત અને ભારતવાસીઓના જીવન અને તેમની રક્ષા માટે લેવામાં આવેલો નિર્ણય છે. જેના માટે હું પ્રધાનમંત્રી મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
सभी प्रदेश सरकारें जिस प्रकार केंद्र सरकार के साथ मिलकर कार्य कर रहीं हैं वह सचमुच प्रशंसनीय है। अब हमें इस समन्वय को और अधिक प्रगाढ़ करना है जिससे सभी नागरिक लॉकडाउन का अच्छे से पालन करें और किसी भी नागरिक को जरुरत की चीज़ों की समस्या भी ना हो।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે. દેશની બધી રાજ્ય સરકાર જે રીતે કેન્દ્ર સરકાર સાથે મળીના કામ કરી રહી છે તે હકીકતમાં પ્રશંસનીય છે. અમિત શાહે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કોઇપણને પરેશાન થવાની જરૂર નથી. દેશમાં અન્ન, દવા અને અન્ય જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પર્યાપ્ત ભંડાર છે, એટલે કોઇપણ નાગરિકને પરેશાન થવાની જરૂર નથી.