ભારતમાં ચાને શોખનુ બીજુ નામ કહેવામાં આવે છે, કારણકે આ પાણી બાદ સૌથી વધારે પીવામાં આવતુ પીણુ છે. સવારની શરૂઆત હોય કે પછી સાંજની શાંતિ. આ સમય ચાની ચુસ્કી વગર પસાર થતો નથી.
ચાની સાથે નમકીન ખાવાની મજા માણો છો?
ચેતી જજો, નહીંતર બગડી જશે તમારી તબિયત
ચા અને નમકીન એકસાથે ખાવાથી સર્જાય છે આ સમસ્યાઓ
ચા સાથે નમકીન ખાવાથી કઈ-કઈ મુશ્કેલીઓ આવી શકે?
પરંતુ ચા પીતી વખતે એવી ભૂલ થાય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના લોકો ચાની સાથે-સાથે નાસ્તા તરીકે નમકીન ખાવાનુ પસંદ કરે છે, પરંતુ મોટાભાગના લોકોને એ ખબર જ નથી કે આમ થતા તેઓ પોતાના શરીરના દુશ્મન બની રહ્યાં છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઈટીશિયને જણાવ્યું કે ચાની સાથે નમકીન ખાવાથી કઈ-કઈ મુશ્કેલીઓ આવી શકે છે.
ચા અને નમકીન એકસાથે ખાવાના નુકસાન
ઈનડાઈજેશન
ચાને તૈયાર કરવામાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે અને નમકીન બનાવવામાં મીઠાનો ઉપયોગ થાય છે. મોટાભાગના ડૉકટર્સ ખાટી અને મિઠી વસ્તુઓ એકસાથે ખાવાની સલાહ આપતા નથી. આમ કરવાથી પેટમાં ગેસ થાય છે અને ઈનડાઈજેશનની સમસ્યા ઉભી થાય છે.
એસિડિટી
અમુક નમકીન વસ્તુઓ એવી હોય છે, જેમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વનું છે કે ચાની સાથે મેવાને પણ ક્યારેય ખાવુ ના જોઈએ. જો ચા અને ડ્રાયફ્રૂટ્સવાળા નમકીન એકસાથે ખાશો તો એસિડિટીની સમસ્યા થઇ શકે છે.
પેટમાં દુ:ખાવો
ચાને તૈયાર કરવામાં દૂધનો ઉપયોગ થાય છે અને દૂધની સાથે નમકીનવાળી વસ્તુઓને બિલ્કુલ પણ ના ખાવી જોઈએ. કારણકે આ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. સોલ્ટવાળી વસ્તુઓમાં રિફાઈન્ડ કૉર્બ્સ હોય છે, જેને પચાવવામાં વધુ મુશ્કેલી આવે છે. જો તમે ચા અને નમકીનનુ સેવન એકસાથે કરશો તો પેટમાં દુ:ખાવો થઇ શકે છે.