હવે દેશના તમામ એરપોર્ટ પર મુસાફરોને મફત 30 મિનિટ માટે WiFi ની સુવિધા મળશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા પેસેન્જર ચાર્ટરમાં ટર્મિનલમાં મુસાફરોને મફત Wifiની સુવિધા પુરી પાડવાની નવી જોગવાઇ કરવામાં આવી છે.
નવી જોગવાઇ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ ઓપરેટર મુસાફરોને 30 મિનિટ માટે મફત Wifi સુવિધા અનિવાર્ય રૂપે ઉપલબ્ધ કરાવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ સુવિધાને વધુ સારી બનાવવા માટે પબ્લિકના અભિપ્રાયો માંગ્યા છે. એરપોર્ટ પર સુવિધાઓને વધુ સારી બનાવવા માટે મુસાફરો 22 જૂન સુધી પોતાના પક્ષ મંત્રાલય સમક્ષ રજૂ કરી શકે છે. આ ઉપરાંત મંત્રાલય આ બાબતે એરપોર્ટ ઓપરેટર સહિત અન્ય સ્ટેક હોલ્ડર્સની ભલામણ સાંભળશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી બે મહિનામાં પેસેન્જર ચાર્ટર હેઠળ નક્કી કરવામાં આવેલા નિયમોને અંતિમ રૂપ આપીને લાગૂ કરવામાં આવશે.
દિવ્યાંગોને મફતમાં મળશે મનપસંદ સીટ:
ઉડ્ડયન મંત્રાલયના અનુસાર પેસેન્જર ચાર્ટરમાં દિવ્યાંગોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા નિયમોમાં બધી એરલાઇન્સને નિર્દેશિત કરવામાં આવી છે કે દિવ્યાંગોની અનુકૂળતાને ધ્યાનમાં રાખતાં વિમાનોમાં સીટોને રિઝર્વ કરવામાં આવે. દિવ્યાંગોને આ સુરક્ષિત સીટ નિ:શુલ્ક કરાવવામાં આવી. એરલાઇન્સ આ સીટોને વિમાનના ડિપાર્ચર ટાઇમ સુધી દિવ્યાંગો માટે રિઝર્વ રાખવામાં આવશે.
એરપોર્ટ પર આપવામાં આવશે સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ:
પેસેન્જર ચાર્ટરમાં એરપોર્ટ ઑપરેટર્સને નિર્દેશ કરવામાં આવેલા આ ટર્મિનલમાં અનિવાર્ય રૂપથી ડૉક્ટરની નિયુક્તિ કરવામાં આવશે. એરપોર્ટ પર તમામ સમયે ડૉક્ટર ઉપલબ્ધ હોવા જોઇએ. આ સિવાય એરપોર્ટ પર એમ્બ્યુલન્સ ઓક્સિજન સિલેન્ડર ડિફિબ્રિલેટર્સ સહિતની જરૂરી આવશ્યક મેડિકલ સુવિધા મળવી જોઇએ. ઓપરેટર્સને એરપોર્ટ પર મુસાફરો આવનાર મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવા માટે સ્ટાર્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) પણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
એરપોર્ટ પર આ સુવિધા પણ હશે ઉપલબ્ધ:
પેસેન્જર ચાર્ટરમાં એરપોર્ટ ઑપરેટર મીટ એન્ડ ગ્રીટ એરિયા તૈયાર કરવામાં આવશે. જેમાં મુસાફરોને સી-ઑફ કે રિસીવ કરવા આવેલા પોતાની સાથે થોડો સમય વિતાવવાની તક મળી. આ ઉપરાંત એરપોર્ટ પર ડિપાર્ચર અને એરાઇવલ ટર્મિનલની બહાર ટોઇલેટની સુવિધા આપવી પડશે. એરપોર્ટ પર મુસાફરોની મદદ માટે અનિવાર્ય રીતે એક હેલ્પ ડેસ્ક હોવું જોઇએ. આ ઉપરાંત એરપોર્ટ પર એવા ખાવાના સ્ટોલ હોવા જોઇએ જેમાં વ્યાજબી ભાવે મુસાફરોને ભોજનનો સામન મળી શકે.