કોરોના અને ઓમિક્રોનથી દેશમાં ગંભીર બનેલી રહેલી પરિસ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો તથા હોસ્પિટલોમાં જરુરી સુવિધા તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને ત્રીજી વાર આપી ચેતવણી
કોરોના ટેસ્ટિંગમાં વધારો કરો
હોસ્પિટલમાં ઓક્સિજન અને પૂરતા બેડની ખાતરી રાખો
ભારતમાં કોરોના અને ઓમિક્રોનને કારણે આગામી દિવસમાં પરિસ્થિતિ ભયાનક બનવાના પૂરા એંધાણ છે એટલે તે કેન્દ્ર સરકારે એક અઠવાડિયામાં ત્રીજી વાર રાજ્યોને ચેતવણી આપતો પત્ર લખીને તાબડતોબ કેટલાક પગલાં ભરવાની તાકીદ કરી છે. કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણ દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક તથા ઝારખંડે આપેલી પત્ર લખ્યો કેટલીક આગોતરી તૈયારી કરી રાખવાનો ઓર્ડર કર્યો છે.રાજેશ ભુષણે લખેલા પત્રમાં એવું જણાવાયું છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટિંગ વધારીને હોસ્પિટલોમાં જરુરુ સુવિધાઓ તૈયારી રાખવી પડશે તથા વેક્સિનેશનમાં ઝડપ લાવવી પડશે.
Union Health Secretary Rajesh Bhushan writes to Delhi, Haryana, Tamil Nadu, West Bengal, Maharashtra, Gujarat, Karnataka & Jharkhand, advises the States to enhance COVID19 testing, strengthen hospital-level preparedness, increase pace and coverage of vaccination.
રાજ્યોનું શું ચેતવણી આપી કેન્દ્ર સરકારે
- કોરોના ટેસ્ટિંગમાં વધારો કરો
- હોસ્પિટલમાં જરુરી સુવિધા તૈયાર કરીને રાખો
- હોસ્પિટલમાં ઓક્સિજન અને પૂરતા બેડની ખાતરી રાખો
- વેક્સિનેશનમાં ઝડપ લાવો
- કેન્દ્રની સૂચનાઓનું તાકીદે પાલન કરો
એક અઠવાડિયામાં રાજ્યોને ત્રીજી વાર ચેતવણી આપી કેન્દ્ર સરકારે
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને ત્રીજી આવી મોટી ચેતવણી આપી છે અને રાજ્યોને વેળાસર પગલાં ભરવાની તાકીદ કરી છે. દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તે જોતા રાજ્યોએ હવે ઝડપી પગલાં ભરવાની જરુર છે. કેન્દ્ર સરકારે એવું પણ જણાવ્યું કે એક વાર પરિસ્થિતિ બેકાબુ બની જશે તે પછી તેને કાબુમાં લાવવા ખૂબ વાર લાવશે તેથી સમયસર સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
દિલ્હીમાં લાગુ GRAP મોડલ આખા દેશમાં લાગુ તેવી શક્યતા
દિલ્હીમાં લાગુ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) મોડલ આખા દેશમાં લાગુ પાડવા અંગે પણ કેન્દ્ર સરકાર વિચાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
દેશમાં સતત કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 22 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટે પગ પેસારો કરી દીધો છે અન કુલ 1000 કેસ થયા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 263 કેસ નોધાય છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 252 કેસો નોંધાયા છે. તેમજ ઓમિક્રોનના મામલે ગુજરાત 97 કેસ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ઓમિક્રોનથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 320 છે. આમ ઓમિક્રોનનો રિકવરી રેટ આશરે 33 ટકાની આસપાસ છે.