ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ખુલાસો કર્યો છે કે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ પર દર્શકોએ બોલ ફેંક્યો હતો.
ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોએ મોહમ્મદ સિરાઝ પર ફેંક્યો બોલ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે કર્યો ખુલાસો
જે કહેવુ હોય તે કહીં શકો, ફીલ્ડરો પર વસ્તુ ના ફેંકો: પંત
વિરાટ કોહલીએ સિરાજને ઈશારામાં કશું કહ્યું
ટીવી કેમેરામાં બતાવવામાં આવ્યું હતું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવા સમયે બાઉન્ડ઼્રી પર ઉભા રહેલા સિરાજને વસ્તુ બહાર ફેંકવા માટે કહી રહ્યાં છે. મેચ પૂર્ણ થયા બાદ જ્યારે પંતને પૂછવામાં આવ્યું તો તેમણે ખુલાસો કર્યો કે ખરેખર શું થયુ હતું.
પંતે કર્યો ખુલાસો
પંતે કહ્યું, મને લાગે છે કે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોમાંથી કોઈ એક વ્યક્તિએ સિરાજ પર બોલ ફેંક્યો હતો. જેના કારણે કોહલી નારાજ થયા હતા. તમે જે કંઈ કહેવા માંગો છો તે કહી શકો છો. પરંતુ ફીલ્ડરો પર કોઈ વસ્તુ ના નાખી શકો. મારું માનવુ છે કે આ ક્રિકેટ માટે યોગ્ય નથી.
ભારતને જીતાડવામાં સિરાજની મહત્વની ભૂમિકા
સિરાજે લોર્ડસમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ 27 વર્ષના ફાસ્ટ બોલરને ચાલુ વર્ષની શરૂઆતમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોએ અપશબ્દો કહ્યાં હતા. જેના કારણે અમુક પ્રેક્ષકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.