ઈન્ડિયા ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટનાં બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ મેચમાં પકડ બનાવી લીધી છે. લંચ બ્રેક પહેલા ઈન્ડિયાએ 329નો સ્કોર બનાવી લીધો હતો અને બાદમાં ઈંગ્લેન્ડની ટીમે ફક્ત 52 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.
અશ્વિને ઈંગ્લેન્ડની 3 વિકેટ ખેરવી
જો રુટ ફક્ત 6 રન બનાવી શક્યો
52 રનમાં અડધી ટીમ પેવિલિયન ભેગી
ઈંગ્લેન્ડ મુશ્કેલીઓમાં
ચેન્નાઈનાં ચેપોક મેદાનમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડને શરુઆતી ઝટકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે ફક્ત 52 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. જેમાં ભારત તરફથી અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડે ઈંનિંગની શરુઆતની પહેલી ઓવરનાં ત્રીજા બોલે રોરી બર્ન્સની વિકેટ ગુમાવી હતી, જેને ઈશાંત શર્માએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યાર બાદ 16 રને ડોમ સિબલી અશ્વિનનાં બોલ પર કોહલીને કેચ આપી બેઠો હતો. ફર્સ્ટ ટેસ્ટ મેચનાં હિરો ઈંગ્લેન્ડનો કેપ્ટન આ વખતે ફક્ત 6 રનમાં આઉટ થયો હતો. જે અક્ષર પટેલનાં બોલ પર અશ્વિનને કેચ થમાવી બેઠો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 39નાં સ્કોર પર હતી ત્યારે ડેનિયલ લોરેન્સ 9 રન પર ડિફેન્સ કરવાનાં ચક્કરમાં અશ્વિનનાં બોલ પર શુભમન ગીલને કેચ આપી બેઠો. તેમજ 52 રનનાં સ્કોર પર 18 રન બનાવીને ક્રિઝ પર રમતા બેન સ્ટોક્સને પણ અશ્વિને ક્લિન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવિલિયન ભેગી કરી દીધી હતી.
રોહિતનાં સહારે ભારત સક્ષમ સ્કોર કરી શક્યુ
પહેલી ઈનિંગમાં ભારતને 329 રનમાં સમેટ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમનો હાલ બેહાલ જણાઈ રહ્યો છે. શરુઆતી સમયમાં અડધી ટીમ પેવિલિયન ભેગી થયા બાદ હવે ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ભારત તરફથી સૌથી વધારે રન રોહિત શર્માએ બનાવ્યા હતા જેણે 161ની શતકીય ઈનિંગ રમીને ભારતને એક સક્ષમ સ્કોર તરફ સફળતા પૂર્વક મોકલી આપ્યુ હતુ.
બીજા દિવસની શરુઆતમાં ભારત 329 રનમાં સમેટાયુ
બીજા દિવસની શરુઆતમાં ભારતની ઈનિંગ 300 રન પર 6 વિકેટથી શરુ થઈ હતી. જ્યારે બીજા દિવસની રમતની શરુઆતમાં મોઈન અલીએ બીજી જ ઓવરમાં અક્ષર પટેલ અને ઈશાંત શર્માને પેવિલિયન મોકલી દીધા હતા. ત્યારબાદ પંતે પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. પણ તેનો સાથ આપવા માટે સામે ક્રિઝ પર કોઈ નહોતુ બચ્યુ. બેન સ્ટોક્સે તેની પહેલીજ ઓવરમાં કુલદીપ યાદવ અને સિરાજને પેવિલિયન પરત કરી દીધા હતા અને ભારત 329 રનમાં સમેટાઈ ગયુ હતું.