ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં 227 રનથી કારમો પરાજય મેળવ્યા બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. જેની વચ્ચે ઈંગ્લેન્ડનાં આ પ્લેયરે વિરાટની કેપ્ટન્સી પર કરી આવી ટીપ્પણી.
વિરાટની કેપ્ટન્સીમાં અગાઉ 4 ટેસ્ટ હાર્યું છે ભારત
આગામી મેચ જો હારશે તો સતત પાંચ ટેસ્ટ હારશે
રહાણેનાં પ્રદર્શનને લીધે દબાણમાં લાગે છે વિરાટ
પૂર્વ સ્પિન બોલરે વિરાટની કેપ્ટન્સી પર પ્રશ્નો ઉઠાવ્યા
ઈંગ્લેન્ડનાં પૂર્વ સ્પિન બોલર મોન્ટી પાનેસરે મોટુ નિવેદન આપ્યું છે. પાનેસરે કહ્યું ભારતની ઈંગ્લેન્ડ સામેની હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટન્સી પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેણે કહ્યું કે વિરાટ જો આમ જ મોચો હાર્યા કરશે તો જલ્દી તેને કેપ્ટન્સી છોડવી પડશે.
વિરાટની કેપ્ટન્સીમાં સતત ચાર મેચ હાર્યુ
મોન્ટી પાનેસરે કહ્યું કે, જો ભારત સતત 5 મેચો હારશે તો વિરાટે પોતાના પદ પરથી હટી જવુ જોઈએ. પાનેસરે કહ્યું કે વિરાટની કેપ્ટન્સીમાં ભારત પહેલા જ ચાર ટેસ્ટ હારી ચૂક્યુ છે અને હવે જો આગામી મેચ પણ તે હારશે તો તેની સંખ્યા 5 થઈ જશે અને સતત પાંચ ટેસ્ટ મેચ હાર્યા બાદ વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન્સી છોડી દેવી જોઈએ.
વિરાટ અત્યારસુધીના મહાન બેટ્સમેનોમાંથી એક
પાનેસરે કહ્યું કે અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન તરીકે ઉત્તમ કામ કર્યું છે અને વિરાટ કોહલીને તેનું દબાણ હશે. વિરાટ અત્યારસુધીનાં મહાન બેટ્સમેનમાંથી એક છે પણ ટીમ હવે તેની કેપ્ટન્સીમાં સારુ પ્રદર્શન નથી કરી શકી રહી અને જે છેલ્લી પાંચ ટેસ્ટમાં જોવા મળ્યું છે. રહાણેનાં પ્રદર્શનને લીધે મને લાગે છે કે વિરાટ પર ખૂબ દબાણ છે.
રહાણેની કેપ્ટન્સીમાં ભારત 2-1થી ઓસ્ટ્રેલિયા સામે જીત્યુ હતું
રહાણેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1થી સિરીઝ જીતી હતી. જેમાં ખાસ બાબત એ હતી કે તે સિરીઝમાં ભારતનાં મુખ્ય પ્લેયર્સ ઈજાગ્રસ્ત હોવાને લીધે રમી નહોતા શક્યા. વિરાટ કોહલી પણ એક મેચ હાર્યા બાદ અન્ય મેચોમાં પેટરનિટી લીવને લીધે નહોતો રમી શક્યો.