ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી યજમાન ઇંગ્લેન્ડની ટીમે ભારતને 338 રનનો ટારગેટ આપ્યો હતો. જો કે, ભારતની શરૂઆતથી જ ઇંનિગ ખરાબ રહી હતી. શરૂઆતમાં જ કેએલ રાહુલ 0 રન સાથે આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી તથા રોહિતે બાજી સંભાળી હતી. પરંતુ માત્ર અડધી સદી ફટકારીને વિરાટ કોહલી આઉટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની શાનદાર સદી છતાં ઇંગ્લેન્ડની જીત થઇ હતી. આ સાથે જ સેમિફાઇલનમાં પ્રવેશ માટે ભારતે રાહ જોવી પડશે. હાલમાં ભારત 11 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે,ભારતને સામેની જીતથી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં પ્રવેશની આશા જીવંત થઇ છે.
ઉલ્લેખનીય છે કે, બર્મિઘમના એજબેસ્ટનમાં આજે વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચ યોજાઇ હતી. આસીસી વર્લ્ડ કપ 2019 (Wolrd Cup 2019) માં ઇંગ્લેન્ડની ટીમ 'કરો યા મરો' ની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા સામે ઉતરી અને જેમાં ભારતને 31 રને માત આપી હતી.
મેચની 10મી ઓવર બાદ ઇંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટના નુકશાને 47 થયો હતો. અહીં બુમરાહે 9મી ઓવર મેડન નાંખી હતી. 16 ઓવરને અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 112 રન વિના વિકેટ થયો હતો. 11થી 15 ઓવર વચ્ચે 50 રન બન્યા હતા.
જેસન રોયે 41 બોલમાં ધમાકેદાર 50 રન પૂર્ણ કર્યા. આ દરમિયાન ઇંગ્લેન્ડનો સ્કોર એકપણ વિકેટના નુકશાન વગર 124 થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી બેયરસ્ટોએ વર્લ્ડ કપ 2019ની પહેલી સદી નોંધાવી હતી. આ સદી તેણે 90 બોલમાં 6 સિક્સ અને 8 ફોરની મદદથી બનાવી હતી.
ધોનીના ઇનકારે જેસન રોય ફરી તક મળી
વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી. 11મી ઓવરમાં 5મી બોલ પર જેસન આઉટ હતો પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ ડીઆરએસ લેવાનો ઇનકાર કરી દીધો. જો ધોની હા કરી હોત તો ભારતને પહેલી સફળતા મળી હોત. કોહલીએ 11મી ઓવરમાં હાર્દિકે બોલ આપી, જોકે આ ઓવરમાં જેસને એક સિક્સ અને એક ફોર ફટકારી હતી. 11 ઓવરને અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 60 થયો હતો.