ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાશે અને આ મેચ પહેલા જ મહેમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન કોરોના પૉઝીટીવ આવ્યાં છે અને તેના કારણે તેઓ બીજી ટેસ્ટમાંથી બહાર ગયા છે.
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાશે
વિલિયમસનને ગુરૂવારે મામુલી લક્ષણો જોવા મળ્યાં હતા. ત્યારબાદ તેમનો કોરોના માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ થયો. જેમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હવે તેઓ ઓછામાં ઓછા પાંચ દિવસ આઈસોલેશનમાં રહેશે. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે તેની પુષ્ટિ કરી છે. વિલિયમસનના રિપ્લેસમેન્ટ રૂપે હામિશ રદરફોર્ડને ન્યુઝીલેન્ડના સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં છે. વિલિયમસનની ગેરહાજરીમાં ટૉમ લેથમ ન્યુઝીલેન્ડ ટીમનુ સુકાન સંભાળશે. ત્રણ મેચની શ્રેણી પહેલા મેચમાં ન્યુઝીલેન્ડને 5 વિકેટથી પરાજય થયો હતો.
કેન વિલિયમસનનુ મજબૂરીમાં બહાર થવુ શરમની વાત
ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે કહ્યું, આટલી મહત્વની મેચ પહેલા કેન વિલિયમસનનુ મજબૂરીમાં બહાર થવુ શરમની વાત છે. અમે બધા એ સમય માટે ખરાબ મહેસૂસ કરી રહ્યાં છે અને જાણીએ છીએ કે તે કેટલા નિરાશ થશે. હામિશ પહેલા પ્રવાસમાં ટેસ્ટ ટીમની સાથે હતા અને વાઇટેલિટી ટી 20 બ્લાસ્ટમાં લીસેસ્ટરશર ફૉક્સ માટે રમી રહ્યાં છે.
બાકીના કીવી ખેલાડીઓના રિપોર્ટ નેગેટીવ
સારી વાત એ છે કે ન્યુઝીલેન્ડના બાકી ખેલાડીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે. તેમ છતાં ટીમ કોરોના માટે નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલનુ પાલન કરશે અને જો હવે કોઈ ખેલાડીમાં લક્ષણ દેખાય છે તો તેનો ફરીથી ટેસ્ટ કરાવવામાં આવશે. આ કોઈ પહેલી તક નથી. જ્યારે ન્યુઝીલેન્ડ ટીમને આ પ્રવાસ પર કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો હોય. આની પહેલા ટીમના ત્રણ ખેલાડી હેનરી નિકોલ્સ, બ્લેયર ટિકનર અને શેન જુર્ગેસન સસેક્સ સામે વાર્મ અપ મેચ પહેલા કોરોના પોઝીટીવ આવ્યાં હતા. ત્યારબાદ તેમને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યાં હતા.