ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા વિરુદ્ધની પહેલી બે ટેસ્ટ મેચો માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ 16 સભ્યોની ટીમમાં જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને રોરી બર્ન્સે ટીમમાં વાપસી કરી છે.
પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે
પહેલી મેચ 5 ફેબ્રુઆરીથી રમાશે
ઈંગ્લેન્ડ પ્લેયર ઓલી પોપ ભારત આવશે પણ ફિટ થયા બાદ ટીમમાં જોડાશે
ઈંગ્લેન્ડની ટીમે પોતાની ટીમની જાહેરાત કરવાની સાથે જોની બેરસ્ટો, સેમ કરન અને માર્ક વુડને આરામ આપ્યો છે. તેની સાથે ઓલી પોપ ભારત આવશે પણ ફિટ થયા બાદ તે ટીમમાં જગ્યા બનાવી શકશે. પોપ સપ્ટેમ્બરમાં પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી દરમિયાન ખભામાં થયેલ ઈજાની સારવાર લઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે, અમારી પસંદગી પ્રક્રિયા અનુરુપ જે ખેલાડીઓ ક્રિસમસ બાદની ઠંડીની ઋતુનાં બાદનાં દરેક ફોર્મેટમાં રમનાર પ્લેયર્સને સમૂહમાં આરામ આપવામાં આવશે. આર્ચર અને સ્ટોક્સની વાપસી બાદ ટીમનાં બાકીનાં સભ્યો પોતાની ફિટનેસ સાબીત કરીને સમરસેટનાં ક્રેગ ઓવરટન શ્રીલંકાની વિરુદ્ધની શ્રેણી બાદ સ્વદેશ પરત ફરશે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ, વન-ડે અને ટી-20ની સિરીઝ યોજાશે
ઉલ્લેખનીય છે કે, આગામી મહિને ઈંગ્લેન્ડની ટીમ ભારતનાં પ્રવાસે આવશે. જ્યાં બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝની પહેલી મેચ પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઈનાં એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે પાંચ ટી-20 મેચોની સિરીઝ પણ રમાશે. જે સિરીઝની પહેલી મેચ 12 માર્ચનાં રોજ રમાશે. ત્યારબાદ બંને ટીમોની ત્રણ વન-ડે મેચની સિરીઝ યોજાશે. જેની પહેલી મેચ 23 માર્ચે રમાશે.
શ્રીલંકાનો ટૂર પતાવી ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે
હાલ ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનાં ટૂર પર છે. જેમાં બે મેચની સિરીઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે 7 વિકેટ સાથે મેચ જીતી હતી. બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો 22 જાન્યુઆરીએ રમાશે. જે ટૂર પતાવી ઇંગ્લેન્ડની ટીમ ભારત આવશે