ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજા ટેસ્ટનાં પહેલા દિવસે અજિંક્ય રહાણેની બેટીંગ દરમિયાન થર્ડ એમ્પાયરનીં નિર્ણય પર વિવાદ થઈ રહ્યો છે. ત્યારબાદ ઇંગ્લેન્ડને ડીઆરએસ પાછો મળ્યો હતો.
ચેન્નાઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી મેચ રમાઈ રહી છે
પહેલા દિવસે ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા
રોહિત શર્માએ ભારત માટે સૌથી વધારે 161 રન બનાવ્યા
જો રુટ થર્ડ એમ્પાયર પર ગુસ્સે ભરાયો
ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટની શરુઆતનાં દિવસે થર્ડ એમ્પાયરની ભૂલને લીધે શનિવારે ઈંગ્લેન્ડને એક ડીઆરએસ રેફરલ ફરીથી મળી ગયો હતો. ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટે થર્ડ એમ્પાયર અનિલ ચૌધરીની ભૂલને લીધે ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો જેનાં લીધે તેને અજિંક્ય રહાણેની વિકેટ નહોતી મળી શકી અને તેનો એક રિવ્યૂ બેકાર જતો રહ્યો હતો. પણ થોડા સમય બાદ બધુ સ્પષ્ટ થઈ ગયુ કે ચૌધરીએ ભૂલ કરી છે અને ત્યારે ઈંગ્લેન્ડને રિવ્યૂ ફરીથી મળી ગયો હતો.
એમ્પાયરે અપીલ ઠુકરાવી
આ ઘટના દિવસમાં 75મી ઓવર દરમિયાન જ્યારે જેક લીચનો બોલ રહાણેના ગ્લવ્ઝને અડીને ફોરવર્ડ શોર્ટ લેગનાં ફિલ્ડર ઓલી પોપનાં હાથમાં ગઈ. ત્યારે ઈંગ્લેન્ડે અપીલ કરી પણ મેદાનમાં એમ્પાયરે તે અપીલને ઠુકરાવી અને ચૌધરીએ એ વિચારીને રિવ્યૂ ખારીજ કરી દીધો કે બોલ લેગ સ્ટંમ્પની બહાર ગઈ હતી અને મહેમાન ટીમને એલબીડબલ્યુની અપીલ કરી છે. જોકે ઈંગ્લેન્ડે સ્પષ્ટ કર્યું કે તે બોલ ગ્લવ્ઝને અડીને કેચ માટેની અપીલ કરી રહ્યાં છે બેટને અડવાથી નહીં.
આ નિયમથી ઈંગ્લેન્ડને રિવ્યૂ પાછો મળ્યો
મોટી સ્ક્રીન પર રિપ્લે જોઈને રૂટ ખૂબ નિરાશ થયો હતો અને કેપ્ટને આ મુદ્દો મેદનાનાં એમ્પાયર સમક્ષ ઉઠાવ્યો. ચૌધરીનાં અપીલ ઠુકરાવ્યા બાદ ઈંગ્લેન્ડે એક રિવ્યૂ ગુમાવી દીધો હતો. પણ બાદમાં આઈસીસીનાં નિયમ 3.6.8 અંતર્ગત ઈંગ્લેન્ડનો આ રિવ્યૂ પૂનઃસ્થાપિત કરી દીધો હતો. રહાણે જોકે 6 બોલ બાદ આઉટ થઈ ગયો હતો તે મોઈન અલીનાં બોલ પર 67 રન કરીને બોલ્ડ થયો હતો.