ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામે આગામી વનડે સિરીઝ માટે તેની 14 સભ્યોની ટીમમાં જાહેરાત કરી છે. ECB એ રવિવારે ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી.
ભારત સામેની વનડે શ્રેણી માટેની ટીમ જાહેર
ઈંગ્લેન્ડ તરફથી 14 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી
ECB એ રવિવારે આ ટીમના સભ્યોના નામોની કરી જાહેરાત
ભારત સામેની ટેસ્ટ અને T20 શ્રેણી ગુમાવ્યા પછી હવે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે વન ડેની શ્રેણી યોજાવા જઈ રહી છે. ઇંગ્લેન્ડની ટી -20 ટીમમાં ભાગ લેનારા જેક બોલ, ક્રિસ જોર્ડન અને ડેવિડ મલાન પણ વનડે ટીમમાં અવેજી તરીકે ભારત જ રહેશે. ઇંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વન ડે સિરીઝનો ભાગ નહીં લે અને કોણીની ઈજાને કારણે લંડન પરત ફરશે.
જોફ્રા આર્ચરને ઇજાને કારણે ન મળ્યું સ્થાન
હકીકતમાં, જોફ્રા આર્ચર કોણીની ઇજાને કારણે ચોથી ટેસ્ટમાં રમ્યો ન હતો. જ્યારે તેને ઈજાથી થોડી રાહત મળી ત્યારે જોફ્રા ટી -20 સિરીઝમાં પરત ફર્યો. અમદાવાદમાં રમાયેલી ચોથી મેચમાં તેણે તેની ટી -20 કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પરંતુ ચોથી ટી -20 મેચ બાદ તેણે કહ્યું હતું કે તે આ વિશે વધારે જોખમ લેવા માંગતો નથી. આવી સ્થિતિમાં, આર્ચર હવે સારવાર માટે લંડન પરત ફરશે અને ત્યાં તેની ફીટનેસ પર કામ કરશે.
BREAKING NEWS: We have named a 14-person squad for our three-match ODI series against India! 🏴🇮🇳#INDvENG
કોણીની ઇજાને કારણે જોફ્રા આર્ચર આઈપીએલની શરૂઆતની મેચ પણ રમી શકશે નહીં. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે.
JUST IN: England announce ODI squad v India. #INDvENG
Eoin Morgan (c)
Moeen Ali
Jonny Bairstow
Sam Billings
Jos Buttler
Sam Curran
Tom Curran
Liam Livingstone
Matt Parkinson
Adil Rashid
Jason Roy
Ben Stokes
Reece Topley
Mark Wood
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝ 23 માર્ચથી શરૂ થશે. ત્રણ વનડે સિરીઝની તમામ મેચ પૂણેમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ વનડે સિરીઝ જીતીને ભારત સામેની ટૂરમાંથી કશુંક આશ્વાસનપૂર્ણ લઈ જવાનો પ્રયત્ન કરશે.