ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 17 રનથી હરાવ્યું હતું.
ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી
ભારતીય ટીમને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ટીમ ઈન્ડિયા 198 રન બનાવી શકી હતી
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી છે. ઈંગ્લેન્ડની ટીમે રનોનો વરસાદ કરી તાબડતોબ 20 ઓવરમાં 215 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીન ઈન્ડિયા ઊણી ઉતરી હોય તેમ જીતની નજીક આવી 198 રન બનાવી શકી હતી. નોંધનિય છે કે સુર્યકુમાર યાદવે સદી ફટકારી હોવા છતાં કોહલી અને પંત ફ્લોપ રહ્યા હોવાથી ટીમ ઈન્ડિયા જીતનો સ્વાદ ચાખી ન શકી હતી. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સીરિઝ કબજે કરી હતી.
ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત નબળી રહી
આજે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ધુઆધાર બૅટિંગ કરીને 20 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. અને ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટ સુધી પહોંચવા ટીમ ઈન્ડીયાના ખેલાડીયો મેદાનમાં ઉતર્યા જોકે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત નબળી રહી હતી. કોહલી, પંત સહિતના ધુઅંધર ખેલાડીઓ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી 6 બોલમાં 11 રન બનાવીને પરફ ફર્યો હતો. બીજી તરફ રિષભ પંત પણ માત્ર 1 જ રન બનાવ્યો હતો. જ્યારે રોહિત શર્માએ 12 બોલમાં 11 રન જ બનાવી શક્યો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી 117 રનોનો ખડકલો કરી દેતા મેચ ફરી જીવંત થયો હતો અને ટીમ ઈન્ડિયાને ફરી જીતની આશા બંધાઈ હતી. પરંતુ 19 મી ઓવરમાં સુર્યકુમાર યાદવની વિકેટ પડતા જીત સુધી પહોંચેલી મેચ ટીમ ઈન્ડિયાને ગુમાવી દેવાનો વારો આવ્યો હતો.
ડેવીન મલાને 39 બોલમાં 77 રન કર્યા હતા
સામે પક્ષે ઈંગ્લેન્ડની ટીમમાં કેપ્ટન જોસ બટલરે 18 રનનું યોગદાન આપ્યું હતું. જેસન રૉયએ 27 અને ફિલ સોલ્ટ 8 રન તથા ડેવીન મલાને 39 બોલમાં 77 રન કરી ટીમને જીતમાં યશસ્વી યોગદાન આપ્યું હતું. તેમણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્ય હતા. મહત્વનું છે કે રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, શ્રેયસ અય્યર અને આવેશ ખાનને ટીમમાં સમાવવામાં આવ્યા હતા અને હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો હતો.