આઈસીસી રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1 રહેશે. પાકિસ્તાન અથવા ઈંગ્લેન્ડની હાર-જીતથી કોઈ ફરક પડશે નહીં.
ઈંગ્લેન્ડ અથવા પાકિસ્તાનને મળશે વર્લ્ડ કપ
બંને ટીમોના કેપ્ટન પાસે પહેલી વખત ચેમ્પિયન બનવાની તક
શું બંને ટીમોની હાર-જીતથી ભારતને કોઈ ફરક પડે ખરો?
બાબર અને બટલર બંનેની પાસે ચેમ્પિયન બનવાની તક
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ સુપર 12 સ્ટેજમાં ઉલટફેર અને ઉતાર-ચઢાવની સાથે ટી20 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી ગઇ છે. બંને ટીમોએ પોતાની સેમી ફાઈનલ મેચ એકતરફી અંદાજમાં જીતી. બાબર આજમની કેપ્ટનશિપમાં પાકિસ્તાને જ્યા ન્યુઝીલેન્ડને હરાવ્યું તો જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને બહાર કર્યુ. બંને ટીમોની નજર હવે પોતાના બીજા ખિતાબ પર છે, તો બાબર અને બટલર બંનેની પાસે પહેલી વખત ચેમ્પિયન કેપ્ટન બનવાની તક છે.
આઈસીસીનુ વર્તમાન રેન્કિંગ
આઈસીસીના અનુમાન મુજબ ખિતાબી મુકાબલા બાદ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયેલી ભારતીય ટીમ ટોપ પર રહેશે. જો કે, હાલમાં આઈસીસીના હાલના રેન્કિંગમાં ભારતના 268 પોઈન્ટ છે અને તે પહેલા સ્થાને યથાવત છે. તો ઈંગ્લેન્ડની ટીમ 264 પોઈન્ટની સાથે બીજા અને પાકિસ્તાન 258 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાને છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા 256 અને ન્યુઝીલેન્ડ 253 અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
પાકિસ્તાનની જીત
ટી20 વર્લ્ડ કપના ફાઈનલમાં જો પાકિસ્તાન જીતે છે તો તેને એક પોઈન્ટનો ફાયદો થશે અને તેના 259 પોઈન્ટ થઇ જશે. તો ઈંગ્લેન્ડના પોઈન્ટ ઘટીને 263 થઇ જશે. જો કે, અહીં બંને ટીમોની રેન્કિંગ પર કોઈ ફરક નહીં પડે.
ઈંગ્લેન્ડની જીત
જોસ બટલરની આગેવાનીવાળી ઈંગ્લેન્ડની ટીમ જો વિજેતા બને છે તો તેને એક પોઈન્ટનો ફાયદો થશે. પરંતુ પાકિસ્તાન કોઈ પણ નુકસાન વગર પોતાના સ્થાન પર યથાવત રહેશે.