ઓરિસ્સાની પાવન નગરી પુરીને ભિખારી મુક્ત કરવાનું મોટું અભિયાન સરકારે શરૂ કર્યું છે. આ આધારે એક એન્જિનિયર પરિવારના ભિખારી બનેલા વ્યક્તિ ગિરિજા શંકર મિશ્રાને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો છે. આ કેસ ત્યારે બન્યો જ્યારે 52 વર્ષના મિશ્રા ભિખારીઓની સાથે બેસીને જગન્નાથ મંદિર પાસે ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહ્યા હતા.
પાવન નગરી પુરીને ભિખારી મુક્ત કરવાનું અભિયાન
52 વર્ષના મિશ્રા મંદિરની બહાર માંગી રહ્યા હતા ભીખ
એન્જિનિયર મિશ્રાને ઘરે પહોચાડવામાં આવ્યા
ગિરિજા શંકર મિશ્રાએ બીએસસીનો અભ્યાસ કર્યો છે. આ પછી જાણીતી સંસ્થામાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેઓ હૈદરાબાદની એક કોલેજ એમએનસીમાં એન્જિનિયરનું કામ કરતા હતા.
આ વિવાદના કારણે સામે આવી ઘટના
આ કેસ એ સમયે સામે આવ્યો જ્યારે પાર્કિંગ બાબતે એક રિક્ષા ચાલક સાથે મિશ્રાનો વિવાદ થયો. અને કેટલાક લોકોએ આવીને તેમને માર માર્યો. આ પછી મિશ્રા પુરીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા અને તેમની ફરિયાદથી પોલીસ ચકિત થઈ ગઈ. ગિરિજા મિશ્રાએ જે રીતે ફરિયાદ લખાવી તેનાથી પોલીસ સમજી ગઈ કે આ ભિખારી ભણેલો ગણેલો છે. પોલીસે સચ્ચાઈ જાણી તો તેમના હોંશ ઉડી ગયા.
ઓરિસ્સાના ભિખારીઓને માટે સરકાર કરશે આ વ્યવસ્થા
ઓરિસ્સાની સરકારે પુરી જેવા પર્યટન સ્થળને ભિખારીઓથી મુક્ત કરવા માટે આ દરેક લોકોને પુર્નવસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ લોકોને નિલાદ્રી નિલયમાં સ્થાન આપવાની સાથે જ તેમને ફ્રીમાં જમવાનું, કપડાં, ઈલાજની સુવિધા પણ આપવામાં આવશે.
રાજ્ય સરકારે આ કામ માટે 5 એનજીઓની નિમણૂક કરી છે જે ભિખારીઓની ઓળખ કરી શકે અને સાથે તેને સમાજ કલ્યાણ વિભાગ પણ તેમની મદદ કરશે. એનજીઓ ભિખારીઓની સારી જિંદગી માટે સરકાર દરેક વ્યક્તિને મહિને 3400 રૂપિયા આપશે. આ અભિયાનને આધારે પહેલાં 5 દિવસોમાં ઓળખ કરીને 146 ભિખારીને શેલ્ટર હોમમાં પુનર્વસિત કરવામાં આવ્યા છે.