વિરાટ કોહલી લાંબા સમયથી નબળા ફોર્મથી ઝઝૂમી રહ્યાં છે. તેઓ સારી બેટીંગ કરી શકતા નથી. હવે ઈંગ્લેન્ડના મોન્ટી પનેસરે વિરાટ કોહલીનુ સમર્થન કર્યુ છે.
વિરાટ કોહલી નબળા ફોર્મથી કરી રહ્યાં છે સંઘર્ષ
હવે ઈંગ્લેન્ડના મોન્ટી પનેસરે વિરાટ કોહલીનુ સમર્થન કર્યુ
ક્રિકેટ પ્રેમીઓનો પ્રેમ હોવાથી BCCI કોહલીને બહાર નહી કરી શકે
મોન્ટી પનેસરનુ મોટુ નિવેદન
ભારતીય ટીમના ધુરંધર બેટર વિરાટ કોહલી આશરે ત્રણ વર્ષથી રન બનાવી રહ્યાં નથી. ક્રિકેટ પ્રેમીઓ તેની 71મી સદીની રાહ જોઇ રહ્યાં છે. કોહલી છેલ્લાં ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યા નથી. તેમણે છેલ્લી વખત નવેમ્બર 2019માં એક સદી બનાવી હતી. અહીં મુશ્કેલ એ છે કે મોન્ટી પનેસર વિશ્વના સૌથી પસંદ કરવામાં આવતા ક્રિકેટર છે. આ એ ક્રિકેટર છે, જેણે સચિન તેંડુલકર બાદ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેથી નાણાકીય દ્રષ્ટીએ નિશ્ચિત રીતે દરેક માણસ વિરાટ કોહલીની બેટીંગ જોવા ઈચ્છે છે અથવા મેદાન પર જોવા માંગે છે. ક્રિકેટ પ્રેમીઓ કોહલીને ખૂબ પ્રેમ કરે છે.
આપણે બધા માત્ર વિરાટ અને તેની આક્રમકતાને પ્રેમ કરીએ છીએ. આખી દુનિયામાં તમામ ક્રિકેટ પ્રેમીઓ જ્યારે વિરાટ કોહલી રમે છે તો સ્ટેડિયમ દર્શકોથી ભરેલુ હોય છે અને પ્રાયોજક બીસીસીઆઈને વધુ પૈસા આપે છે. જેના કારણે બીસીસીઆઈ વિરાટ કોહલીને ટીમમાંથી બહાર ખસેડી ના શકે.
વર્લ્ડ કપથી થાય છે નફો
નાણાકીય દ્રષ્ટિકોણથી અન્ય બોર્ડે વિરાટ કોહલી પાસેથી બધુ પ્રાપ્ત કર્યુ. પરંતુ શું વિરાટ હકીકતમાં અત્યારે ભારત માટે શ્રેષ્ઠ છે? આ સૌથી મોટો સવાલ છે કે બીસીસીઆઈએ પસંદગીકારો સાથે બેસીને કામ કરવાની જરૂર છે, જ્યારે ટી-20 વર્લ્ડ કપ અથવા ODI વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટની વાત આવે છે તો પ્રાયોજક દ્વારા તેઓ કદાચ વધુ પૈસા કમાય છે.