100 કરોડ રુપિયાની વસૂલીના મામલામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સમસ્યા વધતી નજરે પડી રહી છે.
દેશમુખ સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે
ઈડીએ દેશમુખના પીએસ અને પીએની ધરપકડ કરી
દેશમુખે કહ્યું સત્ય સામે આવશે
ઈડીએ દેશમુખના પીએસ અને પીએની ધરપકડ કરી
EDએ મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) અને ખાનગી સહાયક(પીએ) સંજીવ પલાંડે તથા કુંદન શિંદેની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ અનિલ દેશમુખના નાગપુર અને તેમના મદદનિશોના મુંબઈ સ્થિત પરિસરો પર શુક્રવારે રેડ પાડી હતી.
દેશમુખ સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે
EDએ સીબીઆઈની પ્રાથમિકતાનો અભ્યાસ કર્યા બાદ દેશમુખ અને કેટલાક અન્ય વિરુદ્ધ ગત મહિનાથી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનાહિત મામલો નોંધ્યો હતો. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર એક મામલો દાખલ કર્યા બાદ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જે બાદ ઈડીએ મામલો નોંધ્યો. હાઈકોર્ટે સીબીઆઈને મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા દેશમુખની વિરુદ્ધ લગાવવામાં આવેલા લાંચના આરોપોની તપાસ માટે કહ્યું હતુ.
ભાજપના નેતાએ ટ્વીટ કરી કહ્યું ...
અનિલ દેશમુખના પીએસ અને પીએની ધરપકડ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વીટ કરી કહ્યુ કે વસૂલીના કેસમાં અનિલ દેશમુખના સચિવો સંજય પલાંડે અને કુંદન શિંદેની ઈડીએ ધરપકડ કરી છે. મને ભરોસો છે કે થોડાક દિવસોમાં અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવશે.
EDની રેડ બાદ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે તેમણે ઈડીના અધિકારીઓની સાથે પુરો સહયોગ કર્યો. જે તેમની વિરુદ્ધના મની લોન્ડ્રિંગ કેસમાં તેમને મળ્યા. દેશમુખને આશા વ્યક્ત કરી છે કે સત્ય સામે આવશે. તેમણે કહ્યું કે તે ભવિષ્યમાં તપાસ એજન્સીની સાથે સહયોગ જારી રાખશે.