ગાંધીનગર: ઉર્જામંત્રી સૌરભ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે વીન્ડ સોલાર હાઈબ્રિડ પોલીસી હેઠળ ઉર્જાને વીજળી શુલ્કમાંથી મુકિત મળશે. યોજનામાં એક જ સ્થળે વિન્ડફાર્મ અને સોલાર એનર્જી મળશે. તો વિન્ડ પ્રોજેકટમાં મળતી બાકી જગ્યા પર સોલાર પેનલ લગાવી શકશે..
આ ઉપરાંત જણાવ્યું કે સોલાર પેનલમાં બાકી રહેતી જગ્યામાં વિન્ડ ટર્બાઇન નાખી શકાશે અને આ યોજના 5 વર્ષ માટે લાગુ રહેશે...નવી જગ્યા પર પણ પોલિસિનો લાભ લઇ શકાશે..તો સોલાર રેટ અને વિન્ડ એનર્જીના મીટરિંગ રેટ અલગ રહેશે અને થર્ડ પાર્ટી વેચાણમાં 50 ટકા સરચાર્જનો પણ લાભ મળશે.
ઉર્જામંત્રીએ વધુમાં કહ્યું કે આવા પ્રોજેકટથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત થશે. પર્યાવરણનું જતન થશે એટલું નહીં જે તે જમીનનો સોલાર પ્રોજેકટ માટે સમક્ષિતિજ અને લંબ સ્વરૂપે પવન ઊર્જા માટે એમ બેવડો ઉપયોગ કરી શકાશે. આ પોલીસી અંતર્ગત ત્રીજા પક્ષકારને ઊર્જા વેચાણના પ્રસંગે ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં 50 ટકા કન્સેશન આપવાની પણ જોગવાઈ છે.
આ પોલીસી અંતર્ગત હાઈબ્રીડ પ્રોજેકટ માટે કેપ્ટીવ પાવર પ્લાન્ટને ક્રોસ સબસીડી સરચાર્જ અને એડીશનલ સરચાર્જમાં સંપૂર્ણ મુક્તિ તેમજ વ્હીલીંગ ચાર્જીસ અને ડિસ્ટ્રીબ્યુશન લોસમાં 50 ટકાની રાહત આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ પોલીસીમાં સૂચવ્યા અનુસાર કેપ્ટીવ અને ત્રીજા પક્ષકારને વીજળી વેચાણના કિસ્સામાં જે તે કન્ઝ્યુમર સેન્કશન લોડના 50 ટકા સોલાર અને 50 ટકા પવન ઊર્જા સ્થાપી શકાશે.
આ વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પૉલીસી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે એટલું જ નહીં આ નીતિ અંતર્ગત મંજૂર થયેલાં પ્રોજેકટને આ નીતિના લાભ 25 વર્ષ કે આયુષ્ય મર્યાદા પૈકી જે વહેલું હોય ત્યાં સુધી મળતાં રહેશે.