બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2025થી વિશ્વના ખાત્માની શરૂઆત થઇ જશે, સામે આવી બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી

ભવિષ્યવાણી / 2025થી વિશ્વના ખાત્માની શરૂઆત થઇ જશે, સામે આવી બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી

Last Updated: 12:50 PM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prophecy of Baba Venga Latest News : બીજા વિશ્વયુદ્ધ અંગેની તેમની ભવિષ્યવાણી સાચી પડયા બાદ ચર્ચામાં આવ્યા હતા બાબા વેંગા, બાબા વેંગાએ આગાહી કરી છે કે, માનવતાના લુપ્ત થવાની શરૂઆત વર્ષ 2025થી જ થશે

Prophecy of Baba Venga : બલ્ગેરિયાના બાબા વાંગાની ભવિષ્યવાણી આ દિવસોમાં ફરી ચર્ચામાં આવી છે. બાબા વેંગાના મૃત્યુને ત્રણ દાયકા વીતી ગયા પછી પણ લોકો તેમની આગાહીઓથી ચિંતિત છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, માનવતાના લુપ્ત થવાની શરૂઆત વર્ષ 2025થી જ થશે. તેઓ કહે છે કે, એક પછી એક આપત્તિજનક ઘટનાને કારણે આવું થશે. બાબા વેંગા બીજા વિશ્વયુદ્ધ અંગેની તેમની ભવિષ્યવાણી સાચી પડયા બાદ ચર્ચામાં આવ્યા હતા.

બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે ધૂળની ડમરીના કારણે તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું નિધન વર્ષ 1996માં થયું હતું પરંતુ તેમણે તેના પહેલા સેંકડો વર્ષો સુધી ભવિષ્યવાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે. તેમણે કહ્યું છે કે, આ વર્ષથી જ માનવતાનો વિનાશ શરૂ થઈ જશે.

માણસ શુક્ર પર ઊર્જાની શોધ કરશે

બાબા વેંગાએ કહ્યું છે કે માનવતાના પતનની શરૂઆત વર્ષ 2025માં એક આપત્તિજનક ઘટનાથી થશે. વર્ષ 2025માં જ યુરોપમાં એક વિનાશક સંઘર્ષ શરૂ થશે જેનાથી ભારે તબાહી થશે અને અહીંની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે. બાબા વેંગાએ કહ્યું છે કે, વર્ષ 2028 સુધીમાં મનુષ્ય શુક્રમાંથી ઊર્જા મેળવવાનો પ્રયાસ કરશે. આ પછી 2033માં હવામાનમાં મોટો ફેરફાર થશે. એવું કહેવાય છે કે, ધ્રુવીય બરફ પીગળવાને કારણે સમુદ્રનું સ્તર વધશે.

2130માં માણસનો એલિયન્સ સાથે સંપર્ક થશે

બાબા વેંગાએ કહ્યું છે કે, વર્ષ 2076 સુધીમાં સમગ્ર વિશ્વમાં સામ્યવાદ ફેલાઈ જશે અને 2130માં માનવીઓ એલિયન્સ સાથે સંપર્ક કરશે. વેંગાના મતે વર્ષ 2170માં વિશ્વભરમાં દુષ્કાળ પડશે. જેના કારણે પૃથ્વી પર ક્લાઈમેટ ચેન્જની અસર વધશે. બાબા વેંગાએ 3005 માટે સૌથી ખતરનાક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 3005માં પૃથ્વી અને મંગળ વચ્ચે યુદ્ધ થશે. તેમના મતે 3797 સુધીમાં પૃથ્વી માનવ વસવાટ માટે યોગ્ય રહેશે નહીં. જેના કારણે માનવીને અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડશે. આ રીતે વર્ષ 5079 સુધીમાં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે.

વધુ વાંચો : અમેરિકન રાજદૂતના નિવેદનથી અજીત ડોભાલ લાલઘૂમ, ફોન કરીને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું

બાબા વેંગાએ 9/11ના હુમલાની કરી હતી ભવિષ્યવાણી

બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે જેના કારણે લોકો ડરી ગયા છે. પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ અને અમેરિકામાં 9/11ના હુમલાને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભવિષ્યમાં કેટલી સાચી પડશે તે કહેવું મુશ્કેલ છ, પરંતુ કેટલાક લોકો ભવિષ્ય વિશે કહેવાતી બાબતો પર ચોક્કસપણે ધ્યાન આપે છે. હાલમાં વિશ્વ ઘણા સંકટ અને પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં બાબા વેંગાની આગાહીઓ કોઈ પડકારથી ઓછી નથી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Venga News Prophecy of Baba Venga Baba Venga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ