જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. ત્રાલના નાગબલ વન ક્ષેત્રમાં સુરક્ષાબળે બેથી ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. સુરક્ષાબળે કાર્યવાહી કરતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
સુરક્ષાબળે આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના જંગલોમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. ત્રાલના જંગલી વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાના જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવતા સુરક્ષાબળે જવાબી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે 23 મેના રોજ પુલવામાના ત્રાલમાં અથડામણ થઇ હતી જેમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જાકિર મુસા ઠાર મરાયો હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરક્ષાની સમીક્ષાને લઇને આજરોજ બે દિવસીય જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહની મુલાકાત પહેલા સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે.
જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. ત્રાલમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જેને લઇને સુરક્ષાબળે આ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે.
સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે અને આતંકીનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓ સક્રિય થયા છે અને સુરક્ષાબળ સતત આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યું છે.