જમ્મૂ કશ્મીરના પુલવામાના પિંગલાનમાં વહેલી સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આ આતંકીઓ સંગઠન જૈશ એ મહોમ્મદના હોવાની ખબર મળી રહી છે. આ દરમિયાન એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે જ્યારે 1 જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ સેના કરેલા સર્ચ ઓપરેશન બાદ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા છે.
સેના દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશન બાદ ઘેરાવ કરતાં જૈશના બે આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં પાકિસ્તાનની આતંકી કામરાનને સેનાએ ઠાર કર્યો. સેનાના જવાનોએ બિલ્ડીંગને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી છે. જેમાં આતંકી રાશિદ ગાઝીને પણ સેનાએ ઠાર કર્યો.
આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 3 થી 4 જવાનોને ઇજા પહોંચી છે. જો કે જવાનોએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનિય છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સેનાના જવાનો આતંકીઓને ઠાર મારવા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિન વિસ્તારમાં રવિવારે અડધી રાત બાદ અથડામણ શરૂ થઇ છે. સેનાને મળેલી સુચના મુજબ અહીં બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.
જો કે સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવતા આતંકીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં સેનાએ જવાબીકાર્યવાહી શરૂ કરી દઇને ફાયરિંગ કર્યું છે.
જ્યારે પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પૂંછમાં સરહદ પર પાકિસ્તાન તરથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.