જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી ત્યારથી સુરક્ષા દળો સતર્ક છે. ત્યારે કાશ્મીરમાં સોમવારે શોપિયાં વિસ્તારમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સેનાનો સપાટો
3 આતંકીઓને માર્યા ઠાર
5 જવાનોની શહાદતનો લીધો બદલો
મળતી જાણકારી પ્રમાણે, શોપિયાંના તુલારાન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓને એક ઘરમાં ઘેરી લેવામાં આવ્યા હતા જ્યારે બીજો જંગ શોપિયાંના ખુરિપેડા વિસ્તારમાં પણ ખેલાયો હતો
શોપિયામાં 3 આતંકીઓને માર્યા ઠાર
પૂંછ પછી, શોપિયાંમાં ઈમામસાહેબ વિસ્તારના તુલરાનમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સૈનિકો દ્વારા LeT (TRF) ના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ -કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા આતંકીઓમાં બિહારના વિરેન્દ્ર પાસવાનનો હત્યારો પણ સામેલ છે. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે સોમવારે સાંજે માહિતીના આધારે શોપિયાંમાં બે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
24 કલાકમાં ત્રણ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યું હતું કે, વિશ્વસનીય માહિતીના આધારે શોપિયાંમાં ગત -સાંજે બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. 3-4 આતંકવાદીઓ ફસાયેલા છે. 24 કલાકની અંદર આ ત્રીજુ અભિયાન હતું. કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓ બન્યા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી છે.
4 આતંકીઓને ઘેરી લેવાયા
સોમવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું જ્યારે કેટલાક આતંકવાદીઓ શોપિયાંમાં હોવાની માહિતી મળી હતી. પોલીસ અને સુરક્ષા દળના જવાનો આ કાર્યવાહી કરી રહ્યા છે. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં જવાનો આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહી રહ્યા છે. કહેવામાં આવે છે કે ત્રણ-ચાર આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે, જેને સેનાના જવાનોએ ઘેરી લીધા છે. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજો મુકાબલો છે.
પૂંછમાં ભારતને મોટી ખુવારી, 5 જવાનો શહીદ થયા હતા
અગાઉ જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જેકો સહિત સેનાના પાંચ જવાનો માર્યા ગયા હતા. સુરક્ષા દળો ચમેર જંગલમાં આતંકવાદીઓ સામે પોતાનું ઓપરેશન ચાલુ રાખી રહ્યા હતા. આ દરમિયાન એક જેકો અને સેનાના 4 જવાન ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. એજન્સીઓને મુગલ રોડ નજીક ચમારેર મારફતે આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ અહીં ઓપરેશન હાથ ધર્યું હતું. આજે સવારથી અહીં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન પાંચેય જવાનો શહીદ થયા હતા. સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરતા નિવેદન જારી કર્યું છે.
શહીદ થયેલા સુરક્ષા કર્મીઓમાં સુબેદાર જસવિંદર સિંહ, મનદીપ સિંહ, ગજજાન સિંહ, સરરાજસિંહ અને વૈશાખનો સમાવેશ થાય છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ એલઓસી પાર કરી એન્કાઉન્ટર પહેલા ચમારેર જંગલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ગયા અઠવાડિયે આતંકવાદીઓએ અનેક નાગરિકોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. આતંકવાદીઓ દ્વારા થોડા કલાકોમાં કુલ સાત નાગરિકોને નજીકથી ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને ચેતવણી આપવામાં આવી છે અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું છે.