જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ અથડામણમાં એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થયા છે, જ્યારે સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે.
કલમ 370 હટાવ્યાનાં 16 દિવસ બાદ સુરક્ષાદળોએ બારામુલામાં આતંકીઓને ઘેરી લીધા હતા. સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે.
જમ્મૂ-કાશ્મીરના બારામુલામાં મંગળવાર રાતે સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઇ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેને લઇને સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું.
આતંકીઓ છુપાયા હોવાની સૂચના પર સેના, સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગત છેલ્લા ઘણા દિવસોથી જમ્મૂ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ સેના દ્વારા આતંકીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે બીજી તરફ પાકિસ્તાન તરફતી સરહદ પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે મેઢરના મનકોટ, કૃષ્ણા ઘાટી અને કીરની સેક્ટરમાં પાકિસ્તાનની સેનાએ ભારતીય રહેણાંક વિસ્તારને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. જેમાં એક જવાન શહીદ થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા.
#UPDATE Baramulla encounter: One Special Police Officer (SPO) lost his life in the encounter, one terrorist has been gunned down. The encounter has concluded. #JammuAndKashmirhttps://t.co/SzhyNCvob1
કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 16 દિવસ બાદ બારામુલામાં અથડામણ થઈ છે. કાશ્મીરના બારામુલામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.
આ સાથે જ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયા છે. જ્યારે SI અમરદીપ પરિહાર ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત થયેલા SI અમરદીપ પરિહારને સારવાર અર્થે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.