જમ્મૂ-કાશ્મીરમાં આતંકી વિરુધ્ધનું સેનાનું ઓલ આઉટ ઓપરેશન યથાવત્ છે. શુક્રવારે મોડી રાતથી કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જો કે હાલમાં બંને તરફથી રોકાઇ-રોકાઇને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ આ વિસ્તારનો ઘેરાવ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ શુક્રવારે સવારે બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં સુરક્ષાદળે જૈશ-એ-મહોમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં પાંચ જવાન પણ ઇજાગ્રસ્ત થયા હતા. ગત અઠવાડિયામાં અડધો ડઝનથી વધારે અથડામણ જોવા મળી છે. જેમાં 12થી વધારે આતંકીઓ ઠાર મરાયાં છે.
જેમાં સૌથી વધુ જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠન સાથે જોડાયાલા હતા. જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગટને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા.
ત્યારબાદ સુરક્ષાદળોએ ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ તેજ કરી દીધું છે. છેલ્લા ત્રણ મહિનાથી સુરક્ષાદળો જમ્મૂ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યાં છે. આ વર્ષે માર્ચ સુધીમાં 60થી વધારે આતંકવાદીઓ ઠાર મરાયાં. એમાં સૌથી વધારે જૈશ-એ-મહોમ્મદના 22 આતંકીઓ છે.