સોમવારની મધ્યરાત્રિએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં કેટલાક મકાનોને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન ત્યાં છુપાયેલા આતંકીઓએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. CRPFએ કેટલાક ઘરોને ઘેરી લીધા અને તેમની પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. આ પછી શ્રીનગરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં શરૂ થયું એન્કાઉન્ટર
CRPF અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
એન્કાઉન્ટર શરૂ થયા બાદ ઈન્ટરનેટ સેવાઓ થઈ બંધ
મોડીરાતે શરૂ થયેલા આ ગીચતાવાળા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ કેટલાક મકાનોને ઘેરી લીધા હતા ત્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ પછી શ્રીનગર શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
#UPDATE - The operation was launched on a credible police input last night in Kanemazar, Nawakadal, Srinagar. Some exchange of fire took place during night. One Police SOG personnel injured. Firing resumed during search in the morning and the operation continues: J&K Police https://t.co/u9VjS25Byh
શ્રીનગરના નવાકદળ વિસ્તારમાં સુરક્ષાબળ અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ સમયે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટી કર્યું છે કે શ્રીનગરના કાનેમજાર નવાકદળમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. જેકેપી અને સીઆરપીએફ પોતાનું કામ કરી રહી છે.
આ પહેલાં પણ 28 એપ્રિલે શોપિયામાં સુરક્ષાબળોની વચ્ચેની અથડામણમાં 3 આતંકવાદી મોતને ભેટ્યા હતા. 17 મેના રોજ જમ્મૂ કાશ્મીરના ડોડામાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચેના એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો. તેમાં એક આતંકવાદી પણ મોતને ભેટ્યો હતો.