પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સેરીગુફવારામાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમીની માહિતી મળ્યા પછી જમ્મુ-કાશ્મીર પોલીસના રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટુકડીઓએ સંયુક્ત ઘેરો અને તલાશી લીધી હતી અને અનંતનાગમાં અભિયાન શરૂ કર્યું.
પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે તમામ એક્ઝિટ પોઇન્ટ સીલ કર્યા પછી સુરક્ષા દળો કોઈ ચોક્કસ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ સ્વચાલિત હથિયારોથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી જે પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા આસપાસના વિસ્તારોમાં વધારાની સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા બે પોલીસ જવાન શહીદ થયાં હોવાનું આવ્યું સામે
આ પહેલા 19 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં બારજુલ્લાના બઘાતમાં થયેલા આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. તે જ દિવસે બીજી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 19 મી તારીખે જ બડગામમાં અન્ય એક એન્કાઉન્ટરમાં એક યુવાન સૈનિક શહિદ થયો હતો અને 1 ઘાયલ થયો હતો.