દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રાતે એક વાગે પુલવામામાં ચાલી રહેલી અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઓપરેશન હજું પણ જારી છે. આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેવા હોવાની આશંકા છે. આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે 2 સ્થાનીય આતંકવાદીઓની સાથે પાકિસ્તાની લશ્કર કમાન્ડર એજાજ ઉર્ફે અબૂ હુરૈરા માર્યો ગયો. અથડામણ વાળી જગ્યાએ ઘણી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે.
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ પુલવામામાં કિલ્લા બંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. આતંકવાદીઓના સુરક્ષા દળો પર ગોળી ચલાવવા માટે અભિયાન અથડામણમાં ફેરવાઈ ગયુ છે. દળે ગોળીબારનો બરાબર જવાબ આપ્યો છે.
અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
આ પહેલા 8 જુલાઈએ પુલવામામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણ એવા સમયે થઈ જ્યારે હિજબુલ મુજાહિદીનના આતંકી કમાન્ડર બુરહાન વાનીના માર્યા જવાના 4 વર્ષ પુરા થવા પર ગુરુવારે ઘાટીના કેટલાક વિસ્તારો બંધ રહ્યા. જે દિવસે જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકી માર્યા ગયા હતા. મરનારા આતંકવાદીની ઓળખ આતંકી સંગઠન લશ્કર એ તોયેબાના કિફાયત રમજાન સોફી અને અલ બદ્રના ઈનાયત અહમદ ડારના રુપમાં થઈ હતી.