'મગજનો તાવ' (AES) ને લઇને કેન્દ્રીય સ્વાસ્ય્થ મંત્રી હર્ષવર્ધને પાંચ વર્ષ પહેલા જે વચન આપ્યું હતું તેને ફરી એકવાર 2019માં રિપીટ કર્યું છે! બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજનો તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસની બીમારીથી અત્યાર સુધીમાં 119 બાળકોના મોત થઇ ગયા છે. ગત સપ્તાહે સરકારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે સાથે હર્ષવર્ધને બેઠક કરી હતી.
બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી હતી કે, મુઝફ્ફરપુરમાં શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 100 બેડના આઇસીયૂનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત 'મગજના તાવ' ના પરીક્ષણ માટે 5 વિષાણુ વિજ્ઞાન પ્રયોગશાળા બનાવવામાં આવશે. આ પ્રયોગશાળા બિહારના અલગ-અલગ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રની આસ-પાસના જિલ્લામાં 10 બાળ ચિકિત્સા બેડ વાળા આઇસીયૂ સ્થાપિત કરવામાં આવશે.
આપને જણાવી કે, આ એ વચનો છે જે પૂર્ણ કરવાના સપના 2014માં હર્ષવર્ધને બતાવ્યા હતા. ત્યારે પણ તે નવા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2014માં પણ હાલની જેવી જ મુઝફ્ફરપુરમાં હાલત હતી. એમણે ફેસબુકમાં લાંબો પોસ્ટ લખીને વાયદા કર્યા હતા.
એમણે લખ્યું હતું કે 'એસકેએમ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 100 બેડ વાળા આઇસીયૂનું નિર્માણ કરવામાં આવશે. આસપાસના જિલ્લામાં 10 બેડ વાળા બાળ ચિકિત્સામાં આઇસીયૂ સ્થાપિત કરવામાં આવશે. ગયા, ભાગલપુર, બેતિયા, પાવાપુરી અને નાલંદામાં 5 વિષાણુ વિજ્ઞાન પ્રયોગશાળા બનાવવામાં આવશે.
બીજી તરફ, કોંગ્રેસના નેતા રણદીપ સુરેજવાલાએ તેના પર કહ્યું કે, 'એ જ મંત્રી હર્ષવર્ધન, એજ વાયદા અને કામ કંઇ નહીં'.