ગોરખપુર જિલ્લામાં ઈન્સેફેલઈટિસની સાથે વાયરલ ફીવર અને નિમોનિયાએ દેખા દીધી છે.
બાળકોમાં ઈન્સેફેલઈટિસની સાથે વાયરલ ફીવર અને નિમોનિયાએ દેખા દીધી
બાળકોના 458 વોર્ડમાં 330થી વધારે દર્દી ભરતી
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઈન્સેફેલઈટિસના મામલા વધારે
બાળકોના 458 વોર્ડમાં 330થી વધારે દર્દી ભરતી
બાળકોમાં ઈન્સેફેલઈટિસની સાથે વાયરલ ફીવર અને નિમોનિયાએ દેખા દીધી. બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોના વોર્ડમાં આવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 458 વોર્ડમાં 330થી વધારે દર્દી ભરતી થઈ ચૂક્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે જે સ્પીડથી બાળકોની સંખ્યા વધી રહી છે તે રીતે 3-4 દિવસમાં આખો વોર્ડ ભરાઈ જશે. ડોક્ટરોએ સલાહ આપી છે કે બાળકો કારણ વગર બહાર ન જાય.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઈન્સેફેલઈટિસના મામલા વધારે
જાણકારી મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઈન્સેફેલઈટિસના મામલા વધી રહ્યા છે. બીઆરડીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ઈન્સેફેલઈટિસના 278 દર્દી દાખલ થઈ ચૂક્યા છે. જેમાં 24 લોકોના મોત થયા છે. જ્યારે 13 દર્દીઓની સારવાર ઈન્સેફેલઈટિસ વોર્ડમાં ચાલી રહી છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે જિલ્લા હોસ્પિટલમાં ઈન્સેફેલઈટિસ વોર્ડમાં 11 બાળકો છે. ગોરખપુર જિલ્લામાં ઈન્સેફેલઈટિસનો કેર ગત વર્ષની સરખામણીએ વધ્યો છે. આ વર્ષે 120 દર્દી જિલ્લામાં સામે આવ્યા છે. આમાંથી 7ના મોત થયા છે. ગત વર્ષ આ આંકડો 81 દર્દીનો હતો અને 6 ના મોત થયા હતા.
વાયરલ ફીવર, નિમોનિયાએ ચિંતા વધારી
આ સંકટની વચ્ચે વાયરલ ફીવર, નિમોનિયાએ ચિંતા વધારી દીધી છે. બીઆરડી મેડિકલ કોલેજના બાળ રોગ વિભાગાધ્યક્ષ ડો. અનીતા મેહતાએ જણાવ્યું કે બિમાર બાળકોની સંખ્યા તેજીથી વધી રહી છે. અનેક મામલામાં બાળકોને 103-104 ડિગ્રી ફારેનહાઈટ સુધી તાવ છે. આ કારણે તેમની માનસિક સ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે. આ કારણથી પણ ઈન્સેફેલઈટિસના મામલા વધવાની આશંકા છે.
નવજાતોમાં નિમોનિયા અને વાયરલ ફીવરના મામલા વધારે
ડો. અનીતાએ જણાવ્યું કે મેડિકલ કોલેજમા હાજર સમયમાં 118 નવજાત દાખલ થયા છે. જેમાં નિમોનિયા અને વાયરલ ફીવરની સમસ્યા વધારે છે. સાથે કેટલાકમાં પોલીયોના લક્ષણો પણ મળ્યા છે. આ ઉપરાંત ઓપીડીમાં વાયરલ ફીવરના દર્દી આવી રહ્યા છે. 5માંથી 2 બાળકો તાવથી પીડિત ફિરોજાબાદ, આગ્રા અને મથુરામાં અનેક કેસ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ મળી છે. આ બાળકોમાં નિમોનિયાની અસર વધારે જોવા મળી છે. તેમજ તેમના ફેંફસા સંક્રમિત થયા છે. પરંતુ રાહતની વાત છે કે કોઈને પણ કોરોના નથી.