કોરોના સંકટમાં સૌથી વધારે નોકરીધંધો કરનારા લોકોને રાહત આપવા માટે ESIC ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી સરકારે શરૂ કરી છે. તેના આધારે મેડિકલ અને આર્થિક મદદના નિયમો બદલાશે.
કોરોના સંકટમાં સરકાર લાવી રહી છે આ નિયમ
30000ની સેલેરી વાળા માટે સરકાર લાવી રહી છે આ નિયમ
ESIC ના નિયમોમાં આવી શકે છે ફેરફાર
કેન્દ્રની મોદી સરકાર નોકરી ધંધા માટે મોટી જાહેરાત કરવામાં છે. મળતી માહિતી અનુસાર જલ્દી જ 21000 રૂપિયાથી વધારે સેલેરી હશે તે કર્મચારીઓને આ ફાયદો મળશે. કોરોના સંકટમાં વધારેથી વધારે કર્મચારીઓને રાહત આપવા માટે ESIC ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી સરકાર કરી રહી છે. તેના આધારે મેડિકલ અને આર્થિક મદદના નિયમ બદલાશે. સૂત્રો કહે છે કે 30000 સુધીની સેલેરી વાળા કર્મચારીઓને ESIC નો ફાયદો મળશે.
નિયમોમાં તૈયારીના ભાગરૂપે શ્રમમંત્રાલયે ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. વધારે સેલેરી વાળાને સ્કીમ સાથે જોડાઈ રહેવાનો વિકલ્પ મળશે. બેરોજગાર થવા પર આર્થિક મદદ માટેની લિમિટ નક્કી કરાશે. ESIC બોર્ડને જલ્દી આ પ્રસ્તાવ મોકલવામાં આવશે.
21000 રૂપિયાની સેલેરી વાળા માટે અત્યારે લેવાશે આ મોટા પગલા
કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે ગયા અઠવાડિયે વીમા નિગમની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાના આધારે બેરોજગારી લાભની અરજી 15 દિવસમાં કરાશે. ઈએસઆઈસીના નિદેશક મંડલે કોરોના મહામારીના આધારે રોજગાર ગુમાવનારા લોકોને રાહત આપવા આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધી બેરોજગારી લાભના આધારે બમણા રૂપિયા અપાશે. યોજનાના આધારે હવે 3 મહિના સુધી વેતનના પચાસ ટકા લાભ આપવામાં આવશે.
આ યોજનાના લાભ માટે તમે નોકરી ખોવ્યાના 30 દિવસનો લાભનો દાવો કરી શકો છો. આ પહેલાં 90 દિવસ બાદ મેળવી શકાતું હતું. કર્મચારી પોતે જ દાવો કરી શકે છે. પહેલાં કંપનીના માધ્યમથી દાવો કરાતો હતો. યોજનાના આધારે નિયમ હેઠળ આવનારાને લાભ મળી શકશે. આ યોજનાના આધારે લગભગ 40 લાખ જેટલા બેરોજગાર શ્રમિકોને લાભ મળવાની આશા છે.