રિટાયરમેન્ટ ફન્ડ બૉડી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO-Employees Provident Fund Organisation) એ કર્મચારીઓ અને કંપનીઓની મદદ માટે એક વિશેષ મેકેનિઝ્મ તૈયાર કર્યું છે. સરકારના આ પગલાથી 79 લાખ નોકરીઓ કરનારને રાહત મળશે. સાથે જ 3.8 લાખ કંપનીઓને પણ તેનો ફાયદો મળશે.
EPFOએ કર્મચારીઓ અને કંપનીઓની મદદ માટે એક વિશેષ મેકેનિઝ્મ તૈયાર કર્યું
સરકારના આ પગલાથી 79 લાખ નોકરીઓ કરનારને રાહત મળશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ મેકેનિઝમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) માટે તૈયાર કર્યું છે. કેન્દ્ર સરકારે તેના હેઠળ 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. શ્રમ મંત્રાલય (Ministry Of Labour)એ શનિવારે કહ્યું, 26 માર્ચે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરાયેલા એલાન મુજબ કેન્દ્ર સરકાર સબ્સક્રાઇબર્સના EPS અને EPF એકાઉન્ટ્સમાં ઇલેક્ટ્રોનિક મેકેનિઝમ હેઠળ ક્રેડિટ કરશે.
ECR હેઠળ થઇ શકે છે ક્લેમ
આ પ્રકારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહતને ઓથોરિટી અથવા એકમ ઇલેક્ટ્રોનિક ચાલાન-કમ-રિટર્ન (ECR) હેઠળ ક્લેમ કરી શકે છે. સબસ્ક્રાઇબર્સના યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN)માં કેન્દ્ર સરકાર દ્વારા EPF અને EPSમાં આ યોગદાન ECR તરીકે દર્શાવામાં આવશે.
કયા કર્મચારીઓના EPF અને EPS ખાતામાં પૈસા નાંખશે સરકાર
કેન્દ્ર સરકારે એલાન કર્યું હતું કે જો કોઇ કર્મચારી EPFના અંતર્ગત આવનારી સંસ્થામાં કામ કરે છે અને તેની સેલરી 15,000 રૂપિયા અથવા તેનાથી ઓછી છે તો તેના EPS અને EPFમાં આવનારા 3 મહીના સુધી સરકાર યોગદાન આપશે. આ સુવિધા માત્ર એ કર્મચારીઓને મળી શકશે, જેમા કુલ કર્મચારીની સંખ્યા 100થી વધારે કર્મચારી છે અને કંપનીમાં 90 ટકા કર્મચારીઓની સેલરી 15,0000 રૂપિયાથી ઓછી છે.
રાહત પેકેજમાં સરકારે કર્યું હતું એલાન
મંત્રાલય અનુસાર લગભગ 79 લાખ કર્મચારી અને 3.7 લાખ કંપનીઓને લાભ મળશે. એક અનુમાન મુજબ, કેન્દ્ર સરકાર તેના પર ત્રણ મહીનામાં 4,800 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ગત 26 માર્ચે કેન્દ્ર સરકારે કોવિડ 19 લૉકડાઉનને જોતા 1.7 લાખ કરોડ રૂપિયા રાહત પેકેજનું એલાન કર્યું હતું.